________________
લીધે ધડકવા લાગ્યું. તેણે યાવત બન્ને હથેળીઓ ભેગી કરીને અંજલિ રેડીને એમ દેવની જેવી આજ્ઞા” એ પ્રમાણે એ આજ્ઞાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરિભેગમેલી દેવ, દેવેંદ્ર દેવરાજ શકની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં એટલે ઈશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને વયિસમુદઘાટવડે પોતાના શરીરને બદલવાનો પ્રયત્ન કરે છે, એમ કરીને તે પિતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મપુદગલના સમૂહને સંખ્યય યોજનના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારુ પિતાના શરીરને નિર્મળ-ઘણું સારુંબનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત એ પુદગલ પરમાણુઓ જેમકે રતનનાં, વજન, વૈડૂર્યનાં, લેહિતાક્ષનાં, મસારગલ્લનાં, હંસગર્ભનાં, પુલકનાં, સૌગંધિકનાં, તીરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નોની જેવાં સ્થલ છે તે એવાં પિતાના શરીરમાં જે થુલ પુદગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂમ પુદગલેને એટલે સારરૂપ એવાં સારાં પુદગલેને ગ્રહણ કરે છે.
૨૭ એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂમ પુદગલેનું ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુદુઘાત કરે છે, , એમ કરીને પોતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર વૈક્રિય શરીર–પિતાનું
બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતે ચાલતે એટલે નીચે આવતે નીચે આવતે તે, તીર છે અસંખ્ય દ્વિીપ અને સમુદ્રોની વચ્ચે વચ્ચે જે બાજુએ જંબૂદ્વીપ આવે છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે અને તેમાં જ્યાં માહણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદ બ્રાહ્મણ છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેમને પ્રણામ કરીને તે દેવ, પરિવારસહિત દેવાનંદા માહણીને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે. એટલે પરિવાર સહિત દેવાનંદા માહણી ઉપર ઘેનનું ઘારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ-પુદ્ગલેને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણુપુદગલેને ફેંકે છે–વેરે છે-ફેલાવે છે, એમ કર્યા પછી “ભગવન્! મને અનુજ્ઞા આપે” એમ કહી પિતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કેઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે, એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજુ ક્ષત્રિય કંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણ રહે છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવીને પરિવારસહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉંઘના ઘારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં