SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તેને માટે સર્વતોભદ્ર, અતિભવ્ય, ભવ્ય વગેરે નામકરણ કરવામાં આવે છે. લોગસ્સ સૂત્રની માફક તે સ્તોત્રો તથા અંગો શ્રી ચોવીસ તીર્થંકર ભગવંતોના નામ સાથે સંબંધ ધરાવે છે. લોગસ્સ સૂત્રના આધારે જે યંત્રો અસ્તિત્વમાં આવ્યા છે. તેમાં સહુથી વધારે મહત્ત્વનો ‘શ્રી ઋષિમંડલ મહાયંત્ર' છે. તેનું આરાધન આજે પણ સારા પ્રમાણમાં થાય છે. લોગસ્સ સૂત્ર અંગે ઉદ્ભવેલા અન્ય યંત્રોમાં ‘પાસઠિયા યંત્રો' વિશિષ્ટ સ્થાન ધરાવે છે.૨૧ આ યંત્ર ભૂર્જ પત્ર પર કેશર-ચંદન-ગોરચન આદિ ઉત્તમ દ્રવ્યો વડે અથવા તો અષ્ટગંધ વડે દાડમની કલમે કે સુવર્ણની કલમે શુભ મુર્હુતે લખીને તૈયાર કરાય છે. અથવા ત્રાંબાના પતરા પર અંકો કોતરીને કે ઉપસાવીને બનાવાય છે. અને તેની વિધિસર કોઈ યંત્ર વિશારદની દેખરેખ નીચે પ્રતિષ્ઠા કરી ઉપયોગમાં લેવાય છે. ત્યાર બાદ તે યંત્રની ઘરમાં પ્રતિદિન પુજા કરવામાં આવે અથવા યંત્રને આલેખી માંદળીયામાં મઢાવી પુરુષ પોતાની જમણી અને સ્ત્રીએ પોતાની ડાબી ભૂજા પર બાંધવું.૨૨ યંત્રોનું ચતુર્વિશતિસ્રવ પરિશિષ્ટ નં.૨ માં આવેલ છે મહાસર્વતોભદ્ર (પાસઠિયો યંત્ર) ૨૨ ૧૪ ૧ ૧૮ ૩ ૨૦ ૨૧ ઠ ૨૪ 2 ૧૩ ૯૪ ૫ ૧૫ ૧૬ " " ૧૯ ૨૫ ૬ ૧૨ ૧૦ ૧૧ ૧૭ ૨૩ ૪ આ યંત્રો મહા પ્રભાવિક છે. તેમજ પંચષયિંત્ર ગર્ભિત સ્તવો પણ શ્રેષ્ઠમંત્ર સમાન મહાપ્રભાવિક-મહાચમત્કારિક છે. ૧. ભૂત-પ્રેત, પિશાચ વગેરેના ઉપદ્રવો દૂર થાય છે. ૨. કોર્ટ કચેરીના ઝઘડા, વાદ-વિવાદ વગેરેમા જય થાય છે. ૩. સૌભાગ્ય અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૪. પ્રયાણ, સ્થિરવાસ, યુદ્ધ, વાદવિવાદ, રામ આદિનું દર્શન, વશીકરણ, પુત્ર
SR No.032492
Book TitleJain Dharmma Nam Smaranni Avdharna
Original Sutra AuthorN/A
AuthorManharbala Kantilal Shah
PublisherAntararashtriya Jain Vidya Adhyayan Kendra
Publication Year2008
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy