________________
૩૮૮ ]
[ મહામણિ ચિંતામણિ
DOD
D
DDDDDDD
વિબુધવિજયના “મંગલકલશ રાસ' (સં. ૧૭૩૦)માં બીજો દુહો છે :
પુંડરિક ગૌતમ પ્રમુખ, ચઉદસેં બાવન,
ગુણદરિઆ ગણધર નમું, હરષિત હોય જગમન.” સુરવિજયજીના ‘રતનપાળ રાસ’ સં.૧૭૩૨ના આદિનો બીજો દુહો છે : - “પુંડરિક ગૌતમ પ્રમુખ, ગણધર હુવા ગુણવંત,
ચઉદસેં બાવન નમું, મોટા મહિમાવંત.” કવિ ખેમની “અનાથી ઋષિસંધિ’ સં. ૧૭૪૫ના આરંભે લખ્યું છે :
“વદિય વીર જિસ જગીસ, નિત પ્રણમું તસ ગૌતમ સીસ.” કુશલલાભ વાચક સં. ૧૭૪૮માં “ધર્મબુદ્ધિ ચોપાઈ'માં લખે છે :
“વર્ધમાન જિનવર નમું, સાસનનો સિણગાર,
ગુરુ ગૌતમ સરસતિ નમું, સમરી શ્રી નવકાર.” આ જ કવિની સં. ૧૭૫૦ની વનરાજર્ષિ ચોપાઈમાં ત્રીજા દુહાના પૂર્વાર્ધમાં લખે |
પુંડરિક ગૌતમ પ્રમુખ, પ્રણમી સહુના પાય...” ચંદ્રવિજયજી સં. ૧૭૪૯ની ધા શાલિભદ્રની ચોપાઈના આરંભે કહે છે :
સમરી સરસતિ સામિની, તિમ વલી ગૌતમસ્વામિ,
નામ જપતાં જેહનઈ, લહીઈ વંછિત કામ.” મોહનવિજયના સં. ૧૮૫૪ના નર્મદાસુંદરીનો રાસનો આદિનો બીજો દુહો છે :
ધારક અતિશય એહવા, જિન સુરગિરી પરિ (પરે) ધીર,
હું પ્રણમું તે વીરને, ગૌતમ જાસ વજીર.” (બ્રહ્મ) જ્ઞાનસાગરની સં. ૧૬૫૯ની રચના “રત્નત્રય વ્રતકથાના આરંભની કડીનો ઉત્તરાર્ધ છે ?
“ગૌતમ કેરા પ્રણમું પાય, જેહથી બહુવિધ મંગલ થાય.” લાધા શાહના સં. ૧૭૯૫ના શિવચંદજીનો રાસ'માંના બીજા દુહાનો પૂર્વાધ છે :
શ્રી ગૌતમ પ્રમુખ જે મુનિવરા, શ્રી સોહમ ગણરાય..” સં. ૧૭૬૧માં ગંગ મુનિ-ગાંગજીના “રત્નસાર તેજસાર રાસ'નો આરંભનો ચોથો દુહો છે
તસ ગણધર ગૌતમ નમું, લબધિ તણો ભંડાર,
સમઝાવી ભવ્ય જીવને, ઉતારે ભવપાર.” કમસિંહની સં. ૧૭૬૨ની અઢાર નાત્ર ચોપાઈના પ્રારંભિક દુહામાં છે :
“શ્રી ગૌતમ ગણધર નમી, પામી સુગુરુ પસાઉ, અષ્ટાદશ સગપણ તણી, કથા કહું ધરિ જાઉ.”