________________
૩૮૬ ]
‘ગણધર શ્રી ગૌતમ પ્રભુષિ, સૂત્ર તણઈ ધુરિ જેહ, પ્રણમી જઈ શ્રુત દેવતા, હું પણ પ્રણમું તેહ.'
‘આષાઢભૂતિ રાસ’, સં. ૧૭૨૪માં આદિનો બીજો દુહો આ પ્રમાણે છે :
ગોયમ આદઈ ગણધ૨ઈ, જે પ્રણમી નિતમેવ, સાનિધકારી સારદા, તે પ્રણમું શ્રુતદેવ.’
રાજહર્ષ ‘અર્હત્રક ચોપાઈ’ માં સં. ૧૭૩૨માં પ્રારંભમાં બીજો દુહો આ પ્રમાણે લખે છે ઃ ‘ગૌતમાદિ ગણધર નમી, પ્રણમી શ્રી ગુરુપાય,
અરહન્નક અણગારના, ગુણ કહિસ્સું ચિત લાય.’
[ મહામણિ ચિંતામણિ
ઋદ્ધિવિજયજીના ‘વરદત ગુણમંજરી રાસ' સં. ૧૭૦૩ નો આદિનો દુહો છે ઃ ‘શાસનનાયક વીરજી, પ્રણમી તેહના પાય,
લબધિવંત ગૌતમ નમું, નામઈ નવિધિ થાય.'
જિનહર્ષ/જસરાજ ‘હરિશ્ચંદ્ર રાસ’, સં. ૧૭૪૪ની રચનામાં ‘વીર જિજ્ઞેસ૨'થી આરંભ કરી પછી ત્રીજા દુહામાં તેમના શિષ્ય વિષે લખે છે :
‘તાસ સીસ પ્રણમું મુદ્દા, શ્રી ગૌતમ ગણધાર, અંગૂઠઈ અમૃત વસઈ, લધિ તણઉ ભંડાર.’
તેજમુનિ/તેજમાલ સં. ૧૭૦૭માં ‘ચંદરાજાનો રાસ' આ રીતે આ દુહાથી આરંભે છે ઃ
‘વીર તણો ગણધર વડો, શ્રી ગૌતમ ગુણધાર,
ચર્ણ નમું તેહના, જિમ પામું સુખસાર.'
પદ્મસુંદર ગણિ ‘ભગવતીસૂત્ર પર બાલાવબોધ/સ્તબક'માં સં. ૧૭૦૭ થી ૧૭૩૪ વચ્ચે સંસ્કૃતમાં આ રીતે પ્રારંભ કરે છે :
'प्रणम्य श्री महावीरं गौतमं गणनायकम् । श्रुतदेवी प्रसादेन मया हि स्तबुकः कृतः ॥ .....प्रत्यूहव्यूहवार्धि प्रशमननिरत गौतमस्वामिनं च ।
नत्वा तत्त्वार्थ सिद्धयै निजगुरुचरणांभोजररुहं भक्तिपूर्वकम् ॥'
તેજસિંહ ગણિ ‘નેમિનાથ સ્તવન’ સં. ૧૭૧૧નો આરંભ આ પ્રમાણે કરે છે :
‘સદ્ગુરુને ચર્ણે નમી સમરૂં ગૌતમસ્વામિ, શ્રીગુરુની સેવા કરું, કેશવજી શુભ નામ.'
પદ્મચંદ્ર ‘જંબુસ્વામી રાસ' (અથવા ચિરત્ર) સં. ૧૭૧૪માં આદિમાં લખે છે : ગૌતમાદિ ગણધર નમું, લધિ તણો ભંડાર;
નમૈ નવનિધિ સંપજ, પરભવ સુખ અપાર.’
ઉદયચંદ ‘માણિકકુમારની ચોપાઈ' સં. ૧૭૧૪ની રચનાના આરંભે લખે છે : ‘શ્રી ગૌતમ ગણપતિ નમું, લધિ તણઉ નિવાસ.'