________________
૨૩૦ ]
[ મહામણિ ચિંતામણિ
(કારણ કે મને પૂરેપૂરી ખાતરી છે કે આપના ચરણકમળની સેવા કરી છે એટલે મારો નિસ્તાર થવાનો જ છે.) (૪)
तव पदयुगे श्रेयोभूते सदा मम जायतां,
नतिरविरतं पुण्यैर्लभ्ये सुलब्धिनिधानके । निखिलभुवने तद्विस्यात्किं नयत्तव नामतो,
भवति सकलं कार्यं नृणां हृदा परिचिन्तितम् ||५||
પુણ્યથી પ્રાપ્ત મંગલકારી અને અનન્તલબ્ધિનિધાનભૂત એવા આપના ચરણયુગમાં મારી સદાય નિરન્તર વંદના હો.
જગતમાં મનુષ્યોએ પોતાના મનમાં ચિન્તવેલું એવું કયું કાર્ય છે કે જે આપના નમસ્કારથી સફળ ન થાય ? અર્થાત્ સર્વે કાર્યો આપના નમસ્કારથી સફલ થાય જ છે. (૫)
सुकृतविटपी मेऽद्य स्वामिन्! प्रभूतफलोऽभवत्
} दुरिततयो दूरं दूरं ममाद्य पलायिताः । हृदि निरवधि हर्षाम्भोधिः समुच्छलितोऽद्य मे,
विमलविमलं यत्तेजातं मुखाम्बुजदर्शनम् ॥६॥
હે સ્વામિન્! આજે અતિશય નિર્મળ આપના મુખકમળનું મને દર્શન થયું તેથી પૂર્વજન્મમાં કરેલા સુકૃતરૂપી વૃક્ષ આજે ખરેખર ઘણાં જ ફળ આપનારું બન્યું. આજે મારાં પાપોની પરંપરા દૂર દૂર ભાગી ગઈ, અને આજે મારા હૈયામાં હર્ષનો અપાર સાગર ઊછળવા માંડ્યો. (૬)
तव निरुपमं रूपं दृष्ट्वाऽक्षिणी मम नृत्यत -
स्तव सुचरितं श्रावं श्रावं मनो मम हृष्यति । तव गुणगणं गायं गायं मुदं रसनैति मे,
तव सुवचनं पायं पायं कृतार्थमभूज्जनुः ||७||
હે પૂજ્યતમ દેવ! તમારાં અનુપમ રૂપ જોઈ જોઈને મારી બે આંખો આજે નાચે છે, તમારું સુંદર ચરિત્ર સાંભળી સાંભળીને મારું મન રાજી રાજી થઈ જાય છે. તમારા ગુણગણને ગાઈ ગાઈને મારી આ જીભ ખુશ ખુશ થઈ ગઈ છે અને તમારાં સુંદર વચનોનું પાન કરી કરીને મારો આ જન્મ સફલ થઈ ગયો. (૭)
गणधरमणे ! त्वत्पादाब्जे विनम्य निवेदये,
नहि नहि कदाप्यस्मत्स्वान्तात् क्षणं वियुतो भव । वितरति मतिं त्वत्सान्निध्यं व्यपोहति दुर्मति,
जनयति मनः सर्वाभीष्टं तनोति निरीहताम् ||८||
હે ગણધરોમાં મણિ સમાન પ્રભુ ! તમારા ચરણકમલમાં નમસ્કાર કરીને હું આપને એટલું જ વીનવું છું કે—આપ એક ક્ષણ પણ મારા મનથી અળગા ન થતા, ન થતા. આપનું સાંન્નિધ્ય મને બુદ્ધિ આપે છે, દુર્મતિ દૂર કરે છે; મનનાં સર્વે વાંછિતોને પૂર્ણ કરે છે અને છેલ્લે મનને ઇચ્છા વગરનું બનાવે છે. (૮)
م