SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૩૨૦ ] નવી ચંપા વસાવેલી છે અને ગંગા નદીના કિનારા ઉપર છે”. આ આખા યે વાકયના ત્રણ ભાગ થાય છે. પ્રથમના એ માટે તેા, ઉપર લખ્યા પ્રમાણે બન્ને સહમત છીએ. માત્ર ત્રીજો ભાગ જે ચંપાનું સ્થાન ગંગાના કિનારા ઉપર લેખવે છે, તે બાબત ભિન્નતા છે. ચંપાનું સ્થાન ગંગાના કિનારે હાવા સંબંધી તેમણે લગભગ તેવીસ દલીલા રજુ કરી છે. તે સર્વે, પુસ્તકના આધારે જ લેવાયલી છે. એક શિલાલેખ, સિક્કા કે સમયાવળાને અનુસરીને લેવાઇ નથી જ તેટલે દરજજે તેના જેટલી વજનદાર ન ગણાય ( ઉપરમાં પૃ. ૨૮૯ જીએ). વળી તેમાંતેા માટેાભાગ એવા પુસ્તકાન છે કે, જેને આપણે પાશ્ચાત્ય કેળવણીના હિંદમાં પ્રચાર થયા બાદ રચ્યા હેાવાનું કહી શકાય; ને જેમાં એવાં કેટલાંયે વિધાનને સમાવેશ કરાઇ ગયા છે કે, જે પ્રાચીન સમયને બંધએસતા થવા માટે કલ્પનાથી નીપજાવી કાઢેલાં સમજાઇ શકાય છે. મારૂં એમ નથી કહેવું કે તેની કિંમત નથી જ તેની કિંમત પણુ છે જ; પરંતુ કયારે કે જ્યારે કાઇ સ્વતંત્ર પૂરાવા કે આધાર ન હેાય ત્યારે; જેથી કરીને ઉપરાકત તેવીસ પુરાવામાંથી પાંચનેજ અતિ પ્રાચીન અને વિશ્વસનીય લેખી, બાકીનાને એક બાજુ મૂકી રાખી શકાશે. આવા પાંચ” તે તપાસતાં, ચંપાને ગંગા નદી સાથે સંબંધ ધરાવતા માત્ર એક જ પૂરાવે જેના નં. ૬ તેમણે આપ્યા છે તેને કહી શકાય તેવા છે. તેમાં પણ “ગંગા” શબ્દ નથી પરંતુ “ જાન્હવ્યાં ” છે. ગંગા નદીનું ખીજાં નામ જાન્હવી છે ખરૂં, પરંતુ તે એકલી ગંગાનું જ નામ હેાવા ઉપરાંત બીજી ક્રાર્ય નદીઓને પણ લાગુ પડતું જણાય છે કે કેમ, તે જોવું રહે છે. એટલે તે ઉપર બહુ ભાર મૂકવાનું વાજબી ન કહેવાય. વળી નં. ૧ા પૂરાવે તેમણે નિરયાવલિ રૃ. ૧૮માંથી લઇને જે ઉષ્કૃત કરેલ છે અને “ લેશેય અમ્પાનગરી તેળે હવાછરૂ " શબ્દો મેટા અક્ષરે લખી ધ્યાન ખેચ્યું છે, તેમાંયે ગંગાનદીને ઉલ્લેખ ' [ પ્રાચીન આવ્યાનું તે। દેખાતું નથી જ. મતલબ કે તેવીસે પૂરાવા તેમના મતની પુષ્ટિ આપવા લગભગ નિર્બળ જેવા ગણાશે. ઉલટું તેમાંથી કેટલીક એવી હકીકત તારવી શકાય છે, કે જે મારા મતને સમર્થન આપનારી છે જે આપણે આગળ ઉપર જોઇશું. હવે અંગદેશ વિશેની તેમની દલીલ તપાસીએ, જેમ ચંપા વિશે ૨૩ પુરાવા આવ્યા છે તેમ અંગદેશ વિશે પણ ૨૩ પુરાવા આપ્યા છે. ચંપા પરત્વે તે પાંચ છ અતિ પ્રાચીન પૂરાવા લેખાય તેવા હજીયે નજરે પડે છે. પરંતુ અંગદેશ વિશેના કાઇ પણુ તેવા પ્રાચોન નથી જ. ક્ાહીયાન કે હયુએનશાંગ જેવા યાત્રિકાના વર્ણનને જરૂર પ્રાચીન કહી શકાય પરંતુ ભૂલવું જોઇતું નથી કે તેમને સમય ઈ. સ.ની ત્રણથી છ સદીના છે. એટલે કે જે સમયની આપણે હકીકત તપાસી રહ્યા છીએ તે બાદ લગભગ એક હજાર વર્ષે તેમનું અસ્તિત્વ આવે છે. ઉપરાંત તેમના વર્ણનાનાં થયેલ ભાષાંતર ઉપરજ આપણે આધાર રાખવા રહે છે, નહીં કે મૂળ શબ્દો ઉપર. મતલબ કે, તે હેવાલ વિશેની જે સામગ્રી ઉપલબ્ધ થાય છે તેમાં ક્ષતિ રહેલી છે જ. સંપૂર્ણપણે તેમજ છે— અથવા હતું–એમ કહી ન શકાય. છતાંયે જે કાંઇ મળ્યું છે તેની ઉપેક્ષા તેા ન જ કરી શકીએ. તેવીસે અવતરણા તપાસતાં જે કાંઈ સાર કાઢી શકાય તેમ છે તે એટલા જ કૅ, અંગદેશ પૂર્વ દિશામાં આવેલ હતા, તેની રાજધાની ચંપા હતી ઉપરાંત ચંપાના સ્થાન પરત્વે પણ દિશાસૂચન થાડું થોડું છે. મતલબ કે, તેમની માન્યતા જે બંધાઈ છે તેને જરૂર સમર્થન મળે છે ખરું, પરંતુ તે તે મારે પણ માન્ય છે. હું પણ એમ તેા કહું છું જ, કે બંગાળા ઇલાકાના ભાગલપુર જિલ્લામાં એક ચંપા શહેર છે અને ચંપા અંગદેશની રાજધાની ગણાતી હાવાથી તેને અંગદેશ તરીકે ઓળખાવાય છે. પરતુ આ અંગદેશ અને ચંપા શહેર તે નવાં વસેલાં છે. તેને જુના અંગદેશ અને ચ્છેદનાં વનમાંથી મળી આવે છે; એટલે કે આ ભાષાં (૯) હયુએન રચિત પુસ્તકાનાં ભાષાંતરમાં એવી ક્ષતિયા રહી ગઇ છે. તેનાં દૃષ્ટાંતા પ્રા. ભા. પુ. ૧ના ત્રીજા પરિ-તરામાં ક્ષતિ રહી ગઈ છે તે સિદ્ધ થયેલ સમજવું,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy