SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] સેવવામાં તે કાળે તે દૂરને દૂર ભાગતા રહેતા. તેને મન ધર્મ એ તો એક અમુલ્ય, વિરલ, અને દુર્લભ વસ્તુ જ લેખાતી હાઈ તેના રક્ષણને માટે જી ંદગીનું બલિદાન પણ તેઓ તુચ્છ લેખતા. (૨) ધર્મ શબ્દનું મહત્ત્વ સમજાવ્યા બાદ હવે જૈન શબ્દના અર્થ કંઈક અંશે સમજાવીશું. જૈન શબ્દ, જી=જીતવું ઉપરથીયેાજાયેા છે. જેણે જીત મેળવી છે તેને જૈન કહેવાય, આ પ્રમાણે તેને વ્યુત્પત્તિ અર્થ થાય છે. આટલે દરજ્જે સર્વસંમત હકીકત છે. પણ જીત શેની? શા માટે ? કેાની ઉપર તેને યથાર્થ ન સમજવાથી ગેરસમજુતી ઉભી થાય છે. આ બાબતને। ખુલાસા કિંચીદઅંશે આપવા પ્રયત્ન કરીએ. ક્રાની ઉપર ? દુશ્મન ઉપર. શા માટે ? આત્મકલ્યાણ માટે; આત્માના ઉત્કર્ષ માટે; શેની જીત ? હથિયારવર્ડ મેળવેલી નહીં પરંતુ ખરા અંત:કરણની, અને મનના સંયમવડે મેળવેલી જીત. કેમકે હથિયારવડે મેળવેલી જીત મેળવવામાં તે હીંસા પ્રધાનપણે રહેલી છે. જ્યારે મન ઉપર સંયમ રાખીને જીત મેળવવામાં કાષાયાના નીગ્રહ કેળવાય છે. તેમજ દુશ્મન એટલે કાંઇ દેખીતા દુશ્મના નહીં કે જેએ લાકડી, લાઠી, તલવાર, બંદુક લઈને સામે ધસી આવી આપણે દેખીએ તેમ આપણી સામે ત્રા કરી શકે છે; પરંતુ આત્માના દુશ્મનો, કે જેમની સંગતથી આત્મા, પેાતાની ઉચ્ચગતી સાધી શકતા નથી. અર્થાત્ જે દુશ્મને તેને ખાધક થઈ અટકાવ નાખ્યા કરે છે. જેવાં કે ઈર્ષા, ઝેર, વેર, માન, માયા, લેબ, મત્સર ઇત્યાદી કષાયેા; કે જે, વ્યવહાર વ્યભિચાર, ચેારીચપાટી, દગાપીસાદ ઇત્યાદીરૂપે પ્રગટપણે દેખાઈ રહ્યા છે. આ બધા અંતરના દુશ્મન કહેવાય છે. બહારના દુશ્મને ને હશુવામાં, તે ઉપર જીત મેળવવામાં તા હિંસાને આશ્રય લેવા પડે છે, જ્યારે અંતરના દુશ્મનેાને ખાખરા કરી જીત મેળવવામાં કે સંપૂણું પણે હણવામાં આત્મસંયમ કેળવવા રહે છે, અને તેમાં જરાયે હિંસાને સ્થાન રહેતું નથી. મતલબ કે બહારના દુશ્મનાને હજુવાનું કાર્ય હિંસામય છે જ્યારે અંતરના શત્રુને હણવાનું કાર્યં તદ્દન અહિંસામય છે. [ ૨૯૩ આ સ્વરૂપમાં જો જીત અને જૈનના ખરા અર્થ સમજવામાં આવે તે જે અનર્થ કે ગેરસમજુતી ઉભી થવા પામે છે તે આપે।આપ નિર્મૂળ થઈ જશે. ઉપર પ્રમાણે અર્થ સ્વીકારતાં, તે પણ સ્પષ્ટપણે અને સ્વયંસિદ્ધ થઈ જાય છે, કે દરેકે દરેક માણસે જૈન થવાને પ્રયત્નશીલ બનવું જોઇએ. જે જેટલે દરજ્જે પેાતાના અંતરના દુશ્મનેાને હણી શકે તેટલે દરજ્જે તે જૈન થયા કહેવાય. જૈનને કાઈ નાતિ, વર્ણ કે આવિકાનું સાધન મેળવવાના સાધન જેવા, કૃત્રિમ ભેદનું બંધન પરવડી શકે જ નહી. ઉપરની વ્યાખ્યાથી તેા જ્ઞાતિ પરત્વે, વાણિયા, બ્રાહ્મણ, નાગર, ખ્રિસ્તી ઇત્યાદિને; કે વર્ણ પરત્વે ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, ઇત્યાદિન; કે આજીવિકા પ્રાપ્તિના ભેદ જેવા કે મેાચી, કુંભાર, તેલી, ભંગી, કે ખાટકી ઈ. ઈ. ભેદોને; જૈન અનવાને કાર્ય પ્રકારની અટકાયત જ મૂકાતી નથી. તેમ વર્તમાનકાલે ઉપસ્થિત થઇ ગએલ ધર્મભેદે માટે પણ જૈન શબ્દને ખરી રીતે લાગતું વળગતું નથી. તેમાં તા વૈદીક ધર્માનુયાયી પણ આવી શકે છે. એક મુસલમાન બંધુ પણ આવી શકે છે. તેમજ પારસી ભાઇઓને, ખ્રિસ્તી બંધુના, સમાજીસ્ટાને, શીખતા, કબીરપંથના, રામાનુજમના, લિંગાયતના ઈ. ઈ. સ` કા` પણ સમાવેશ થઈ શકે છે. મતલબ કે જૈન શબ્દને દુનિયાદારીના વ્યવહારના અંગે તથા સમાજવ્યવસ્થાને અંગે જે કૃત્રિમ ભેદે પાછળથી ઉભા થવા પામ્યા છે તેમાંના ક્રાઇની સાથે સંબંધ છે જ નહીં. તેને કેવળ અંતરાત્મા, અંતરની ઉર્મિ, મનુષ્યની મનેવૃત્તિ, હૃદયના ભાવ, ઇ. ઇ. સાથે જ સંબંધ છે. આ ઉપરથી વાચકવર્ગની ખાત્રી થશે કે પુસ્તક પ્રકાશનમાંની સર્વ હકીકત મેં તા નિષ્પક્ષભાવે જ, જેવી મને સુઝી તેવી રજૂ કરી છે. તેમજ જૈનધર્મી ગણાવાને હું મારી જાતને અહે। ભાગ્યવંત માનું છું. એટલું જ નહિ પણ ઉમેદ ધરાવું છું કે વાચક પોતે પણ આ પ્રમાણેના મારા વિચારા જાણ્યા બાદ પોતાની જાતને જૈનધર્માં કહેવરાવવાને ઉત્સુકતા ધરાવતા બનશે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy