SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશમ પરિચ્છેદ ] રાજ્ય ભાગવ્યું હોવાથી આપણે દરેલ અનુમાન સત્ય હાવાનું પણ ઠરે છે. આ પ્રમાણે તેના કુટુંબના પરિચય જાણવા. હવે તેનાં નામ અને બિરૂદાનું વિવેચન કરીશું. તેની મુખ્ય વિશિષ્ટતા . તેનાં પ્રસિદ્ધ બિરૂદા, રાજા હાલ, અથવા હાલ વિક્રમાદિત્ય, શાલ અને રાજા શાલીવાહન હાવાથી તેની ઓળખ તે સમજૂતિ આપવા જરૂર રહેતી નથી છતાં ઉપરના પરિચ્છેદે પ્રસંગવશાત માહિતી અપાઇ છે. ઉપરાંત પુરાણામાં તેને કુંતલ અથવા કુંતલશાતકરણિ અને વિક્રમશક્તિ નામે પણ ઓળખાવ્યા છે. આને લગતાં પૌરાણિક અવતરણા પૃ. ૨૦૨ થી ૨૦૭ સુધીમાં ઉતારીને તેને લગતી ચર્ચા કરી બતાવી છે. એટલે પુનરૂચ્ચારની જરૂર નથી. સાહિત્યેક બિરૂદા સિવાયના, શિલાલેખા અને સિક્કાઓમાં જે જણાયાં છે તે આ પ્રમાણે છે. વિલિવાયકુરસ, પુલુમાવી, વાસિષ્ઠપુત્ર શાતકરણિ, દક્ષિણાપત્યેશ્વર, શક્તિ કુમાર અને મહા હસર. આમાંના પ્રથમ ત્રણની સમજુતિ રૃ. ૨૨૪ ઉપર અને દક્ષિણાપત્યેશ્વરની માહિતી પૃ. ૨૨૧ ઉપર આપી દીધી છે. હવે બાકી એ રહ્યાં. શક્તિકુમાર અને મહાહરિ; તેને લગતું વિવેચન પંચમ પરિચ્છેદે લેખ નં. ૧ અને ૩ માં અપાયું છે. ત્યાં આવેલી ખીજી વિગતા સાથે સંબંધ ન હોવાથી નુકતેચીની કરીશું નહીં. અત્ર માત્ર એટલું જ જણાવીશું કે તેમાં વિદ્વાનેએ જેના વિશે ઈશારા કર્યાં છે, જૈન સાહિત્યને હવાલો આપ્યા છે, અક્ષરાના ફેરફારો થવા વિષે નિયમે બતાવ્યા છે તથા છેવટે નામની મેળવણી કરી આપી છે, તે વર્ણનવાળી વ્યકિત સમજી શકાય છે કે રાજા હાલ-શાક-શાલિવાહન છે. આ વંશના ૩૦-૩૧ રાજાઓમાંથી નં. ૪, ૭ અને ૧૮ નંબરવાળાએનાં રાજ્યે, ૫૦ વર્ષ ઉપર ચાલ્યા હ।વાથી તે ત્રણના એક વર્ગ જુદા બનાવ્યેા છે. વળી તેમાંનાં નં. ૪ અને ૫ ના વર્ણન આલેખતી વખતે તેના રાજ્યની જે કેટલીક વિશિષ્ટતાઓ હતી તેનું દર્શન કરાવ્યું પણ છે. સાથે સાથે તે બન્ને રાજવીને ૩. તેની મુખ્ય વિશિષ્ટતાઓ [ ૨૩૩ અંગે જે ખાસ એકેક વિશિષ્ટતા હતી તે ઉપર ખાસ લક્ષ પણ દેરવામાં આવ્યું છે. તે નિયમને અનુસરીને તે વર્ગના આ છેલ્લા ભૂપતિ નં. ૧૮વાળાની જે વિશિષ્ટતાઓ છે, તેનેા ખ્યાલ અત્રે આપીશું. પહેલી વિશિષ્ટતા એ છે કે, આ વર્ગના ત્રણેમાં પણ લાંબામાં લાંથુ શાસન આ નૃપતિનું છે. ઉપરના મેનેપ્રત્યેકના રાજ્યકાળ ૫૬ વર્ષના હતા. જ્યારે આ ત્રીજાને, તે આંકડા ઉથલાવીને લખતાં ૬૫ વર્ષે આવે તેવડા દીર્ધકાલીન હતા. ખીજી વિશિષ્ટતા એ છે કે તેના જન્મ દૈવી સંયેાગમાં થયા છે જેને લગતા વર્ણનના ઉતારા પૃ. ૨૦૨થી આગળ લખવામાં આવેલ છે. ત્રીજી એ છે કે પાતે સાહિત્ય શોખીન હેાવા ઉપરાંત કવિ પણ હતા. અને કહેવાય છે કે ગાથાસતિ નામના ગ્રંથ રચનાર આ રાજા પેાતેજ હતા. સામા ન્ય રીતે પંડિતાને અને સાક્ષરાને પાષવા તથા વિદ્યાને ઉત્તેજન આપવું, તે રાજધર્મનું એક અંગજ લેખાય છે. આ પ્રમાણે વિક્રમાદિત્ય, ભાજદેવ, યોવર્મન આદિ અનેક રાજાએએ પેાતાના રાજદરબારે પ્રાચીન સમયે પંડિતાને પાધ્યાના, દેશ પરદેશના વિદ્વાના વચ્ચેના થતા વાદવિવાદેામાં પ્રમુખસ્થાને બેસીને નિર્ણય આપ્યાના, અને છેવટે મહાનંદ-નવમાનંદ જેવાએ વિદ્યાપીઠે। સ્થાપીને આમ પ્રજાને બનતી રીતે સંસ્કારી બનાવી ઉચ્ચગામી બનાવવાના, પણ દૃષ્ટાંતા ઇતિહાસનાં પાને ચડી ચુકયાં છે. છતાં રાજવીએ પોતે જ ગ્રંથકાર તરીકે આગળ પડીને નામના કાઢી હોય તા આના જેવે, કે મડાપચીસી અને સુડામહે તેરીના કન્હેં રાજા ગ`ભીલ વિક્રમાદિત્ય જેવા, રાચેાખડયા માત્ર એકાદ જ દાખલો નીકળી આવશે. ચાયું.એ કે તેણે હિંદની બહાર દક્ષિણે જઈને સિંહલદ્વીપ ઉપર પણ જીત મેળવી હતી. પ્રાચીનકાળના આખા ઇતિહાસમાં તેમાંયે જે સમય આપણે ગ્રહણ કર્યાં છે તે હજાર કે અગિયારસે વર્ષમાં-કેવળ એ ભૂપતિઓએ જ સિંહલને જીતી લીધા દેખાય છે. પહેલો રાજવી હતા શિશુનાગવંશી મગધપતિરાજા ઉદ્દયાશ્વ અને ખીજો છે આ શતવાહનવંશી આંધ્રપતિ રાજા હાલ; અને આ બેમાં પણ રાજા ઢાલને શીરે વિશેષ યશ અર્પવા
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy