SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક ઉપનામાની સમજ ૧૮૬ ] થાય તેવા કેટલાક બનાવા પાછળથી બનવા પામ્યા હતા, પરંતુ પોતાના જીવનકાળસુધી તે નભાવ્યે ગયે। હેતા. મતલબ કે બૌદ્ધધર્મ તે સમયે લગભગ ૩૫ વર્ષ સુધી રાજધર્મ તરીકે રહેવા પામ્યા હતા. જ્યારે આ સાતકરણએ, પોતાના કુળધર્મ ત્યજી દીધા હતા પરંતુ તેમાં નારીમેાહને બદલે રાજકીય ક્ષેત્રે ઝળકી ઉઠવાની વૃત્તિરૂપ તેનું ઉદ્દભવ કારણ હતું. આ સમયે પરિવર્તન પામેલ વૈદિકધર્મ, અશાકના વખતની માફક ૩૫ વર્ષ જેટલું પણ આયુષ્ય દક્ષિણુના દરબારે જોકે નીભાવી શકયો નથી, છતાં કહેવું જોઇએ કે અવંતિમાં લગભગ એક સદી સુધી તેણે પોતાના વિજયöક્રા વગડાવવા જારી રાખ્યા હતા. અવંતિમાં અશાક પછી પ્રિયદર્શિન આવતાં, તેણે કુળધર્મ પા। પુનર્જીવિત કર્યાં હતા એટલું જ નહીં પરંતુ સર્વ જૈનધર્મી રાજાઓની(તેની પૂર્વેના કે પાછળના, અરે કહેા કે ઠેઠ અત્યારસુધીના)–સરખામણીમાં તેણે પોતાના નંબર પહેલો જ નાંધાવી દીધા હતા. તેની પાછળ આવનાર સંતાનેાના અવિચારીપણાને લીધે પાછા જૈનધર્મ જો કે થાડા અખે પડવા માંડયો હતા અને શાતકરણિએ વિજયસ્તંભ રાપ્યા બાદ તેને તદ્દન લોપ થવાની ભીતી રહેતી હતી, છતાં નબળા નખળા મૌર્યરાજાઓએ જેમતેમ કરીને તે ટકાવી રાખ્યા હતા. બાકી મૌય પછી જેવા શૃંગ રાજઅમલ અવંતિમાં થયા અને ૫. પતંજલીની–ગુરૂદેવની–રાજ પુરાહિત તરીકે સ્થાપના થઈ કે વૈદિકધમ પાછા ખૂબ પ્રકાશમાં આવવા લાગ્યા હતા. સમ્રાટ અગ્નિમિત્રના સમયે તે પૂર્ણકળાએ પહોંચ્યા હતા અને તે બાદ શુંગવંશની પડતી દશામાં તેની પણ પડતી દશા આત્માનું દેખાય છે. એટલે ત્યાં અવંતિમાં લગભગ એક સદી જેટલા સમયસુધી વૈદિકધર્મને રાજધર્મ હાવાનું માન મળી રહ્યાનું કહી શકાય. અને તેમાં પતંજલી મહાશયની પધરામણી અને આમ જનતાને તેમણે પાયેલી પ્રેરણા જ મુખ્ય કારણુરૂપે કહી શકાય, જ્યારે દક્ષિણમાં જુદી જ સ્થિતિ પરિવર્તવા પામી હતી. દક્ષિણાપથપતિ શાતકરણુિનું મરણુ ઇ. સ. પૂ. ૨૩૬-૫ માં થતાં તેની ગાદીએ તેના પુત્ર લંખાદર [ એકાદશમ ખડ અને તે બાદ આવી–આપિલિક ઇ. ચારેક રાજા આવ્યા છે. તેમના રાજ્યકાળ વિશે જો કે પુરાણથૈામાં બહુ વાંચવામાં નથી આવતું પરંતુ જૈન ગ્રંથામાં કાંઈક હકીકત જે મળી આવે છે તે આધારે કહી શકાય છે કે, ત્યાં દક્ષિણમાં જૈનશાસ્ત્રો અને સિદ્ધાંતમાં પારંગત ઉતરેલા એવા અને પદ્મવણાકારના બિરૂદથી પ્રસિદ્ધ થયેલા (જેમનેા સમય મ. × ૩૩૫ થી ૩૭=૪૧ વર્ષ છેઃ ઇ. સ. પૂ ૧૯૨થી ૧૫૧) તે સમયના યુગપ્રધાન, નામે કાલિકસૂરિ ઊઁ શ્યામાચાર્યે સ્વઉપદેશથી જૈનધર્મની સારી સેવા બજાવી હતી. આ કાલિકસૂરિ તેજ સમજવા કે જે શુંગવંશી બળમિત્ર ભાનુમિત્રના સંસારપક્ષે મામા થતા હતા તથા જેમની પાસે તેમના ભાણેજ ભાનુમિન્ને દીક્ષા લેવાથી તેણે અતિ (ખળમિત્ર) કાપાયમાન થઇને કાઈનું પણ સાંભળવાની દરકાર કર્યા વિના, ભર ચામાસે તેમને અતિમાંથી કાઢી મૂકયા હતા તે જેમણે દક્ષિણમાં આશ્રય લીધે। હતા. (જુએ, પુ. ૩, પૃ. ૧૧૩). એટલે માનવું રહે છે કે આ આંધ્ર રાજવીઓના સમયે, રાજધર્મ તરીકે કદાચ વૈદિક મત શિથિલ અવસ્થામાં રહેવા પામ્યા હશે. પરન્તુ તે બાદ તે દક્ષિણપતિ પાછા જૈનધર્મમાં દહે થઈ ગયા દેખાય છે; તે ઠેઠ નં ૨૩ના સમયે જી જબરજસ્ત ધર્મ ક્રાંતિ થવા પામી છે ત્યાં સુધી. તાત્પર્ય એ થયે। કે, આંધ્રપતિઓમાં ધર્મક્રાંતિ એ વખતે થવા પામી છે. પ્રથમ વેળા શાતકરણ નં છના રાજ્ય અમલે પાછળના ભાગમાં અને ખીજી વેળા નં. ૨૩વાળા શિવસ્વાતિના રાજ્યના આરંભમાં બાકીની ખીજી વસ્તુને ખ્યાલ ચાથા પરિચ્છેદે પૃ. ૬૪થી ૬૮ સુધીમાં અપાઈ ગયા છે, ત્યાંથી જોઇ લેવા વિનંતિ છે. પરદેશી રાજકર્તાઓમાંના કેટલાકને જેમ ક્ષત્રપ અને મહાક્ષત્રપ જેવાં ઉપનામા જોડવામાં આવ્યાં છે અને તેથી તેવા શબ્દના પ્રભાવકેટલાંક ઉપનામાની અધિકાર કે મહાત્મ્ય વિશે ક્રાંઇક સમજ જાણવાની આવશ્યકતા હૈાવાથી આપણે તેની સમજૂતિ આપવી શતવહનવંશી શાતકરણી રાજાએ કેટલાંક ઉપનામ જોડાયાં છે કે પઢી છે, તેમ આ સાથે પણ એવાં
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy