SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] તેની ઉંમર તથા સગાંવહાલાં શતવહન વંશ (ચાલુ) પ્રથમના ચાર પરિચ્છેદેામાં આ વંશના સર્વ રાજાઓનું વ્યક્તિગત જીવન રાજકર્તા તરીકે જે કહી શકાય, તે સિવાયની સામાન્ય હકીકત અપાઈ ગઈ છે. હવે આપણે તે પ્રત્યેક રાજવીઓનું જીવન વૃત્તાંત લખીએ. (૧) રાજા શ્રીમુખ શાતકરણ આ વંશના આદિ-સ્થાપક પુરુષનું નામ રાજા શ્રીમુખ છે, તેને શિલાલેખ અને સિક્કાલેખ આદિમાં, શિમુખ શાતકરણ તરીકે પણ સંબેાધાયા છે. શિમુખ નામ માત્ર માગધી સ્વરૂપ હાય એમ દેખાય છે; વળી શાતકરણ અથવા તા કાઇ વખત શતવહન વિશેષણ પણ, કેટલાક વિદ્વાના તેના નામ સાથે જોડવાને પ્રેરાયા છે. આ શબ્દોના અર્થ શું થાય છે તે પ્રથમ પરિચ્છેદે આપણે સવિસ્તર સમજાવી ગયા છીએ; તે ઉપરથી સ્પષ્ટ થશે કે, ઉપર નિર્દિષ્ટ કરેલ ગમે તે નામથી તેને સંમેાધવામાં આવે તાપણુ અતિહાસિક દૃષ્ટિએ કાંઇજ ફેર પડતો નથી. આપણે તેને રાજા શ્રીમુખના નામથી જ એળખાવીશું. ઉત્તર હિંદના અનેક રાજવંશેા પરત્વે જેમ અનેકવિશ્વ સામાન્ય બાબતની આપણે બહુ જ ટ્રક માહિતી ધરાવતા આવ્યા છીએ—બલ્કે કહા કે ખીલકુલ અજ્ઞાન છીએ, ઉપરાંત જે જાણીએ છીએ તે પણ વિકૃત સ્વરૂપે-તેમ દક્ષિણ હિંદ સંબંધી પણ તેજ દશા પ્રવર્તે છે. આ સ્થિતિ દક્ષિણુ હિંદના એ મેટાં સામ્રાજ્યમાંના એકનું—કર્લિંગનું વૃત્તાંત, પુ. ૪માં આપણે વર્ણવી ગયા છીએ, તે ઉપરથી વાચકગણુને સ્પષ્ટ થઈ ગઈ હરશે. તેજ પ્રકારે આ ખીજા સામ્રાજ્યની—શતવહનવંશની પશુ છે એમ સમજી લેવું. બલકે એમ કહો કે, આ શતવાનવંશના કેટલાક સિક્કાઓ તેમજ શિલાલેખા વારંવાર મળી આવતા રહે છે એટલે તેમાંના અનેક [ એકાદશમ ખંડ રાજ્વીઓ વિષે કાંઈકને કાંઇક માહિતીમાં વૃદ્ધિ થતી રહે છે. પરન્તુ કર્લિંગ સામ્રાજ્યવાળા ચેગ્નિ વંશની સરખામણીમાં-કહા કે સમસ્ત ભારતવર્ષના રાજકાઁ વ‘શામાં—આ વંશના શાસનકાળ અતિ દીર્ધ હાવાથી, તેમજ તે વંશના રાજાએની સંખ્યા પણ તે પ્રમાણે વિશાળ હેાવાથી, છુટી છવાઇ સંક્ષિપ્ત માહિતી મળેલ હેાવા છતાંયે, કાંઈ જ નથી મળ્યું એમ કહીએ તે ખે।ટું નથી. આ સ્થિતિમાં, તે વંશની, જેને આપણે પ્રાથમિક–પ્રસ્તાવિક હકીકત કહીએ તેવી, જેમકે તે વંશના આદિ પુરુષ કાણુ હતા, તેની ઉત્પત્તિ એટલે તેને જન્મ, કયા માબાપને પેટે થવા પામ્યા હતા તથા કયા પ્રદેશમાં, ને કયા સમયે તે વંશને ઉદય થયા હતા, તેવા સામાન્ય પ્રશ્નનેામાંના કેટલાએક, જેમ જેમ પ્રસંગ આવતા ગયા તેમ તેમ ઉપરના છએ પિર અેદમાં પૃથક પૃથકપણે આપણે નિવેદિત કરી ગયા છીએ. એટલે તેનું પુનરૂચ્ચારણ લંબાણુથી કરવા પ્રયેાજન રહેતું નથી. પરન્તુ તેની ઉમર, તેનાં સગાંવહાલાં, પુત્રપરિવાર આદિનું વિવેચન વગેરે તેના જીવનપ્રવાહ સાથે સંબંધ ધરાવતાં ઘણાં તત્ત્વા હજી જોડવાં રહી ગયાં છે; તે અત્ર તેના જીવનના વ્યક્તિગત પરિચય આપતાં પૂર્વે વર્ણવવાનાં છે. તેમ કરવામાં, જે પ્રશ્ના ઉપરમાં જણાવાઈ ગયા છે તેને ટુંક સાર અત્ર જણાવવા આવશ્યક છે. સંક્ષિપ્તમાં જણાવવાનું કે, તેને જન્મ મગધપતિ નંદ ખીજો, જેને આપણે મહાપદ્મ તરીકે ઓળખાવી રહ્યા છીએ, તેની શુદ્ધ જાતિની રાણી પેટે-શિકાર કરીને ગુજરાન ચલાવતી એવી પાધિ વર્ગમાંની એકાદ જાતિની કન્યાથીથયા હતા. એટલે આપણે કહેતાં, મિશ્રવણુની એલાદના ખાન્યા છે. પરન્તુ તે બન્ને એકજ નામ હેાવાનું મનાયું છે. તેથી અત્ર એક નામના જ નિર્દેશ કરેલ છે. તેને શુદ્ધ ક્ષત્રિય ન (૩) જો આંધ્ર શબ્દ જાતિ (?) વાચક્ર (જીએ ઉપરમાં પૃ. ૨૦) હેાય તેા, તે પારિધ વની એક જાતિ વિશેષ સમજવી. પાધિના તા ધંધા જ છે, પરન્તુ જે ગેાત્રની તે કન્યા છે (જુઓ આગળ ઉપર આ પરિચ્છેદે પુત્ર પિરવારવાળે તેની ઉમર તથા સગાંવહાલાં (૧) કે. આં. રે. પ્ર. પૃ. ૪૨, પારી. પર:—The fo• under of the line bears the name “Śātavāhan inscribed over his statue in the Nanaghat cave (Räjä Órimukh Śātavāhano)=નાનાધાટની ગુફામાંના પુતળાની નીચે, તે વંશના સ્થાપક તરીકે ‘શાતવાહન’ નામ (રાયા સિમુખ શાતવાહના) કાતરાવાયું છે. (૨) મત્સ્યપુરાણમાં તેને શિશુક નામથી પણ એળ-પારિગ્રાફ) તે ઉચ્ચ બ્રાહ્મણગાત્રીય સમજાય છે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy