________________
ચિત્ર પરિચય
નીચેના વર્ણનમાં પ્રથમને આંક ચિત્રની સંખ્યા સૂચક છે, બીજો આંક તે ચિત્રને
લગતે અધિકાર કયા પાને આ પુસ્તકમાં ઉતાર્યો છે તે બતાવવા પૂરતો છે; સર્વ ચિત્રોને સંખ્યાના અનુકમ પ્રમાણે ગોઠવ્યાં છે. તેથી કયું ચિત્ર ક્યા પાને છે તે સહેલાઈથી શેધી કઢાય તેમ છે. કેઈ ચિત્ર તેની કોઈ વિશિષ્ટતાને અંગે
આડું અવળું મૂકવું પડયું હોય કે એક કરતાં વિશેષવાર રજુ કરવું પડયું હોય તે - તે હકીકત તેને પરિચય આપતાં જણાવ્યું છે. આગળની પેઠે આ પુસ્તકમાં પણ ચિત્રોને ત્રણ વર્ગમાં ગોઠવવામાં આવ્યાં છે.
(૧) સામાન્ય ચિત્રો (૨) પરિચ્છેદનાં મથાળાંનાં શુભચિત્રો (૩) અને - રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય પદેશિક નકશાઓ. પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું.
(ગ) સામાન્ય ચિત્ર આકૃતિ - વર્ણન નંબર પૃષ્ઠ કવર
કલ્પવૃક્ષ અથવા કટપદ્રુમનું ચિત્ર છે; તેની હકીકત પુ. ૨
પૃ. ૨૮ માં સંપૂર્ણ જણાવી છે તે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ૩૭૨ હિસ્ટરી ઓફ ઈન્ડીયન એન્ડ ઈરટર્ન આર્કટેકચર; મિ. જેમ્સ ૩૭૨ ફરગ્યુસન કૃત પુ. ૧ પૃ. ૨૨૩ અને પૃ. ૪૯ માંથી અનુક્રમે
લીધાં છે. અને નિચે તેઓ સાહેબે “From a bas-relief at Amravati=અમરાવતીના કોતરકામ ઉપરથી” એવી નોંધ કરી છે. મતલબ કે આ બન્ને ચિત્રો અમરાવતી ટેપનાં અંશે છે. તેમનું વર્ણન છેક છેલ્લે હોવા છતાં મુખપૃષ્ઠ લેવાનું કારણ એ છે કે મંગલાચરણમાં ખાસ વિશિષ્ટતાસૂચક અને પૂજનીય વસ્તુ હોય તે રજુ કરવાનું દુરસ્ત ગણાય છે. આ બંને વસ્તુ તે બને મુદ્દા પૂરા પાડે છે. અમારી માન્યતા પ્રમાણેનું તેના ખાસ અધિકાર માટે વર્ણન પૃ. ૩૭૨ થી જેવા વિનંતિ છે. જ્યારે ફરગ્યુસન સાહેબનું અસલ પુસ્તક કે જેમાંથી અમે આ ચિત્રો લીધાં છે તેમણે બીજું વિશેષ વર્ણન છે કે આપ્યું નથી પરંતુ ચિત્રદર્શનના સ્થાન ઉપરથી તેમને હેતુ બદ્ધધર્મનાં પિરાણિક મારકે રજુ કરવાને જ માત્ર હેય એમ સમજાય છે,