________________
(૫)
પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસીક શોધક બુદ્ધિ તથા ઉહાહિ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક બાબતેના ભ્રમ દૂર થઈ શકશે. અને નવીન પ્રકાશની હુંફ પ્રાપ્ત થાય તેવું ઘણું સચોટ પુરાવાઓ વાળું લખાણ છે. એટલું જ નહી પણ અનેક શિલાલેખ સિકકાઓ અને પ્રશસ્તિઓની મદદ લઇ વિવેચન થયેલું દેખાય છે. કચ્છ–પત્રી
મુનિ લક્ષ્મીચંદ
શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ અને સમકાલીન હતા તે બાબત જૈન લેખકે અને ઈતર પરદેશી વિદ્વાને સહમત છે. અહિંસા તત્વને પ્રચાર પણ તેઓએ લગભગ એક જ ક્ષેત્રમાં કર્યો છે. છતાં દિલગીરી જેવું એ છે કે કેટલાંક સ્થાને માં જે અવશેષે મળી આવ્યાં છે તે મહાત્મા બુદ્ધનાંજ કહેવાય છે, જ્યારે મહાવીરનાં અવશેષે વિષે આપણે તદ્દન અંધકારમાં જ છીએ. સદ્દભાગ્યે ડે. ત્રિ. લ. શાહે આ બાબત વર્ષે થયાં હાથ ઘરી છે અને શ્રી પાર્શ્વનાથના સમયથી આરંભીને એક હજાર વર્ષને ઈતિહાસ સંશોધિત કરવા માંડે છે.
તે જાહેર કરે છે કે શ્રી મહાવીર સમર્પિત થયેલ ઘણાં અવશેષે આપણી યાત્રાનાં સ્થળમાર્ગે મૌજુદ પડેલ છે. જેની ભાળ હજુ સુધી આપણુ કેઈને નથી. એમનું કહેવું એમ થાય છે કે, શ્રી મહાવીરના જીવન માટેના કેટલાયે બનાવોનાં સ્થાન, વર્તમાનકાળે જે મનાતાં આવ્યાં છે તેના કરતાં અન્ય સ્થળે હોવાનું સાબિત થઈ શકે છે. જે તેમજ હેતે અને ડે. શાહ સંપૂર્ણ ખાત્રી ધરાવે છે કે તેમજ છે, તે તે જરૂર જન ઈતિહાસમાં એક ક્રાન્તિકાર યુગ ઉભો થશે અને વિશારદ અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે.
ગુલાબચંદજી ઠઠ્ઠા, એમ. એ. શ્રી. જે. કે. ના જનરલ સેક્રેટરી અને ઉમેદપુર પાર્થે. આશ્રમના વ્યવસ્થાપક
(૭) પુસ્તક તદ્દન નવું દ્રષ્ટિબિંદુ ખેલે છે એમ સમજાય છે. તમે એ પુસ્તક તૈયાર કરવામાં ઘણે શ્રમ લીધે લાગે છે.
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી દિવાન બહાદુર એમ. એ. એલ. એલ. બી. (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ)
મુંબઈ
હાલમાં તેમણે એ ગ્રંથની સંપૂર્ણ હકીકતનું હસ્તપત્ર બહાર પાડયું છે. તે ઉપરથી તેના મહત્વને સારે ખ્યાલ મલ્યો છે. ગ્રંથના ચુંમાલીસ પરીચ્છેદે કરેલા છે. અને તેમાં એક