________________
૩૮
દશરથ અને
[ પંચમ
માં જણાવી ગયા છીએ તે પ્રમાણે તે અશોકનો પૌત્ર હતો; અને પ્રથમ તેને મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ તરીકે અને અશોકને ગાદીવારસ તરીકે, ખુદ અશોકે નિર્મિત કર્યો હત; કારણકે પિતાને જ્યેષ્ટ પુત્ર-યુવરાજ કુણાલ અંધ દશાને પ્રાપ્ત થતાં, દેશના રીત રિવાજ મુજબ ગાદીને હક તેને રદ બાતલ થતું હતું; તેમ બીજા પુત્ર મહે કે બૌદ્ધધર્મની દીક્ષા કુંવારે કુંવારા લઈ લીધી હતી એટલે તેના તરફનું તે કોઇ વારસદાર મળે તેમ નહોતું. એટલે આ દશરથ તે અશેકને પોત્ર કેમ થયો તે શેધવું રહે છે.
ઉપર એમ પણ આપણે જોઈ ગયા છીએ કે, અશકને એક નાનો ભાઈ નામે તિષ્ય હો;
જ્યારે પટરાણી તિષ્યરક્ષિતાના કાવા દાવાથી તેણીના સાપત્નીય-ઓરમાન કુમાર યુવરાજ કુણાલને પાટલિપુત્રમાં ખસેડીને અવંતિમાં રાખવામાં આવ્યું. ત્યારે વાલી તરીકે પોતાના આ ભાઇને મહારાજા અશોકે નીમ્યા હતા. આ તિષ્યને કોઈ તને જ હોવાનું દશરથ કુમાર માટે આપણે ધારી બેઠા હતા; પણ તેમજ જે હેત તે દશરથ પિતાને, મહારાજા અશોકના પૌત્ર તરીકે ન ઓળખાવતાં, ભત્રીજા તરીકે ઓળખાવત, વળી યુવરાજને એટલે હક ગાદી માટે પહોંચે તેટલે ભાઈને નજ પહેચે, અને ભાઈને ન પહોંચે તે પછી ભાઈના દીકરા એટલે ભત્રિજાનો તે ક્યાંથી જ પહેચે ? મતલબ કે તે સંબંધ હોવા બિલકુલ સંભવ નથી.
ત્યારે દશરથ રાજા અશોકનો પૌત્ર શી રીતે હોઈ શકે ? તેમજ પ્રથમ તેને હક સ્વીકારાય અને પછીથી યુવરાજ કુણાલને ત્યાં પુત્ર
જન્મતાં તેને હક ગણ ગણાય. તે કઈ રીતે મહારાજા અશાકને તે સંબંધી હોય? આમ બેવડી ગૂંચ જે સગપણ ઉકેલવાને સમર્થ નીવડે તે સંબંધ અશક અને દશરથની વચ્ચે અસ્તિત્વ ધરાવી શકે. એકજ હકીકત સબળ દેખાય છે. તેએ કે, આપણું આગળ ઉપર જોઈ ગયા છીએ કે, કુણાલને જન્મ, જ્યારે અશોક કુમારપદે હતા ત્યારે વૈશ્યએષ્ટિની પુત્રી-વિદિશા કુમારીના પેટે થયો હતો. તે બાદ બે વર્ષે તિષ્યરક્ષિતાના પેટે કુમાર મહેન્દ્રનો જન્મ થયો હત; અને તે અરસામાં કુમાર અશોકને મગધની ગાદી મળતાં, કુમાર મહેંદ્ર અને યુવરાજ કુમાર સાથે રાણી તિષ્યરક્ષિતા, પાટલિપુત્રે આવી હતી પણ તે વખતે તેની યુવરાજ્ઞી-વિદિશાકુમારી આવી નહોતી. અને તેનું કારણ એમ પણ જણાવ્યું છે કે, તેણીને પ્રસવ કાળને સમય હતે. એટલે આપણે માનવું રહે છે કે, આ પ્રસવ સમયે તેણીને કુમાર રત્નની પ્રાપ્તિ થઈ હશે; મ. સં. ૨૦૦=ઈ. સ. પૂ. ૩૨૭; અને આ સુવાવડના કારણે તુરત કે થોડા સમય બાદ તેણીને દેહાંત થયો હશે એટલે તેણીએ પાટિલ પુત્રનાં દર્શન પણ કર્યા નથી તેમજ રાણી તિબ્બરક્ષિતાને પટરાણી પદે સ્થાપિત કરવામાં આવી છે,
આ બીજે કુમાર તે કુણાલને સહેદર થયે ગણાય, અને ઉમરમાં મહેંદ્રથી (જેને જન્મ ઇ. સ. પૂ. ૩૩૨ છે) ચાર સાડાચાર વર્ષ નાને, અથવા લગભગ સરખેજ ગણાય, પણ કુણાલથી (જેને જન્મ ઇ. સ. પૂ. ૩૭૫ છે) સાતેક વર્ષ નાને કહેવાય. કુમાર કુણાલ તો પોતાની લગભગ તેર વર્ષની ઉમરે અંધત્વ પામ્યો છે, એટલે તેને પાછળથી પરણાવાયો છે. અને તેને મેટી ઉમરે
( ૨ ) આ ઉપરથી એમ થયું કે, દશરથ તે સંપ્રતિનો કાકાનો દીકરો ભાઈ થાય: તેમ જ સ્વતંત્ર રાજકર્તા તરીકેનું જ તેણે જીવન માન્યું છે. એટલે આ બે કારણને લીધે, પુરાણકારના મંતવ્ય આધારે જે વંશાવળી આગળનાં પ. ૧૩૪--૫ માં વિશ્વાષણજીએ
ગોઠવી છે અને તેમાં દશરથને બંધુપાલિત એટલે જેનું રક્ષણ-પાલન, ભાઇથી કરાયું છે તે શબ્દ વાપર્યો છે તે આ દશરથને લાગુ નથી પડત. પણ શલિંશુકને જ લાગુ પડે છે. કારણ કે, તે શાલિશુક, સંપ્રતિના મહેલમાંજ ઉછર્યો હતો તેમજ પોતે મગધને સૂણે થયે તે પૂર્વે