SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] મરણને સમય ૨૧૯ ચાણક્યજીને નમન કરવા ઈચ્છા છે. એમ જણાવી તેમની પાસે જવા રાજા મેળવી. અને ત્યાં જઈ બહુજ દાંભિક આડંબરથી વંદન નમસ્કાર કરી પાછા વળતાં, જે પર્ણકુટિમાં ચાણક્યજી ધ્યાન મગ્ન બેસતા તેમાં અંગાર મૂકી એક દિવસ આગ લગાવી દીધી. ચાણક્યજીએ અનશન કરી શુભ ધ્યાનપૂર્વક મરણનું શરણું લઈ લીધું.૧૦ વીર વિક્રમાદિત્યનો પિતા દર્પણ હતો. તેને ગર્દભી વિદ્યાની સાધના ફળેલી હતી. આ વિક્રમાદિત્યનો સમય ચેકસપણે ( જુઓ પુ. ૩) ઇ. સ. પૂ. ૫૭ સાબિત થાય છે. એટલે તેની પૂર્વે ૭૫૩ વર્ષે ચાણકયનું મરણ થયેલું જે ગણુએ, તે ઈ. સ. પૂ. ૬૯૬ આવે પણ ચાણક્ય અને ચંદ્રગુપ્ત બને સમકાલીન હેઈને તેમને સમય તે ઇ. સ. પૂ. ૩૭૨ ઠર્યો છે. એટલે આ હકીકત બંધબેસતી નથી. એટલે એમ ધારી શકાય છે કે, પૂર્વના લેખકે, આંકની સંખ્યા જેમ આપણે હાલ લખીએ છીએ તેમ લખતા નહતા, પણ અમુક અમુક આંક માટે ગુહ્યસાંકેતિક શબ્દજ વાપરતા. અને તેવા આંકડા એક પછી એક લખીએ, એટલે જે સંખ્યા કહેવાની હોય તે આવી રહે. આમ કરવામાં કોઈ વખત દશકનો આંકડો શતકમાં મૂકી દેવાતો અને શતકનો આંકડો દશકમાં પણ મૂકી દેવાતો. તેથી સંભવિત છે કે ઉપરનો આંક જે “૭૫૩” છે તે “૩૫૭” કે “૩૭૫પણ કહેવાને હેતુ હોય. તે વિચારીએ. જે ૩૫૭ લઈએ: તે તે હિસાબે ૩૫૦ + ૫ = ઈ. સ. પૂ. ૪૧૪ અને ૩૫ લઈએ તો ૩૭૫ + ૫૭ = ૪૩૨ આવે આ બેમાંથી એકે સાલ ચાણકયના મરણના સમયની સાથે બંધબેસતી નથી. એટલે તે કલ્પના છોડી દેવી પડશે. કદાચ લેખકનો હેતુ expiration ને બદલે birth કહેવાને પણ હોય (કેમકે ગુજરાતીમાં તે એમજ લખવાનો રીવાજ છે કે, ફલાણો આટલા સમયે થયો. પછી તે “થ શબ્દનો અર્થ જન્મ પણ લેખાય અને મરણ પણ લેખાય. જ્યારે તેને અંગ્રેજી અનુવાદ કરતાં તે અનુવાદક પિતાની મતિ પ્રમાણે તે શબ્દ લખે છે ) તો તે હિસાબે ૪૧૦ અથવા ૪૩૨ માં ચાણકયને જન્મ થયો હતો એમ લેતાં, અને તેની ઉમર ૮૦–૮૨ કહેવાય છે; તેથી તેનું મરણ ઈ. સ. પૂ. ૪૧૪-૮૦=૧૩૪ અથવા ૪૩૨-૮૦=ઈ. સ. પૂ.૩૫ર આવે છે; આ સમય હજુ બંધ બેસતો કહી શકાય તેમ છે. ૮૦ ને બદલે ૮૨ વર્ષનું આયુષ્ય લઇએ તે ઇ. સ. પૂ. ૩૩૨ અને ઈ. સ. પૂ. ૩૫૦ આવશે. અને આપણે બિંદુસારને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૩૫૮ થી ૩૩૦ ગણુએ છીએ. તે જોતાં પંડિતજીનું મરણ બિંદુસાર રાયે આઠમા વર્ષે થયું ગણાશે. (સિક્કા પરિચ્છેદે પૃ. ૧૦૭ માં ૧૩ વરસે લખ્યું છે તે હવે સુધારવું રહે છે. ). બીજી કલ્પના-જનરલ કનિંગહામનો મત એમ છે કે માળવાની ગાદીએ બેસનાર વિક્રમાદિત્ય જે અહીં લખ્યો છે તે મૌર્યવંશી નહીં પણ ગુપ્તવંશી લે. ગુપ્તવંશમાં બે ચંદ્રગુપ્ત થયા છે. પહેલાનો સમય ઇ. સ. ૩૨૦ થી ૩૩૦ છે અને બીજાને ઇ. સ. ૩૭૫ થી ૪૮૩ છે? આમાંથી બીજાનું નામ વિક્રમાદિત્ય છે ખરું. પણ બેમાંથી એકેના પિતાનું નામ ગધરૂપ નથી જ. ચંદ્રગુપ્ત પહેલાના પિતાનું નામ ઘટે–ચ્છ છે અને બીજાના પિતાનું નામ સમુદ્રગુપ્ત છે. આ બેમાંથી ચંદ્રગુપ્ત બીજે પરાક્રમી નીવડો છે ખરો, પણું ગુપ્ત સંવત જે સ્થપાયે છે તે પહેલા ચંદ્રગુપ્તના રાજ્યારંભથી, એટલે કે ઈ. સ. ૩૧૯ થી. આમ એક બીજાની તરફેણ અને વિરૂદ્ધમાં પ્રસંગે જાય છે. છતાં આપણે બંનેનો વિચાર કરીએ તો, અને મરણને સમય તે લઈએ તો ૭૫૩-૩૧૯=૮૩૪ ઈ. સ. પૂ. આવે અથવા ૭૫-૩૭૫=૩૭૮ ઈ. સ. પૂ. આવે. પણ ઉપરના પારિગ્રાફમાં માન્યા પ્રમાણે જન્મ લઈએ, તો વળી ઓર ૮૦ વર્ષને વધારે થઈ જતાં, તે સાલ અનુક્રમે પ૧૪ અને ૫૮ ઈ. સ. પૂ. આવશે. જે કઈ રીતે બંધ બેસે તેમ નથી. આ ચારમાંથી ઇ. સ. પૂ. ૪૩૪ નો હજી મેળ ખાય તેમ છે ખરું. અને તે પ્રમાણે ચંદ્રગુપ્ત પહેલો ઠરાવવો પડશે. પણ તેના પિતાનું નામ તો ધટેન્ગચ્છ છે, નહીં કે ગધરૂપ. આ ઘટે ત્રચ્છનું સ્વરૂપ કેવું હશે તે જણાવાયું નથી. પણ પાંચ પાંડવમાંના ભીમદેવના પુત્રનું નામ તે હતું. અને તેનું સ્વરૂપ વિચિત્ર હતું એમ નેધ નીકળે છે ખરી. એટલે આ ગુપ્ત ઘટેગચ્છનું સ્વરૂપ તેવું હોય. ગમે તેમ પણ વધારે સંભવ ૭૫૩ ને બદલે ૩૭૫ હોવાનો સંભવ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy