SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સમ્રાટ ચંદ્રગુપ્તને [ ચતુર્થ નવમા નંદ પછી, નંદ વિશને નાશ કરીને ( જુઓ ઉપરની દલીલ નં, ૧) ચંદ્રગુપ્ત મૌર્ય મગધને સમ્રાટ બન્યો હતો. આ બધા મુદ્દાઓને જે સમન્વય કરીશું તે ફલિતાર્થ એ જ આવશે કે, ઉપરના ચાર તેમજ ચંદ્રગુપ્ત મળીને, પાંચે પુરૂષ સમકાલિન પણે, અથવા બહુ બહુ તે પાંચ દશ વર્ષના નજીકમાં પ્રસિદ્ધપણે વિદ્યમાન હતા. એટલે સાબિત થયું ગણવું પડશે, કે સમ્રાટ ચંદ્રગુપ્તને સમય ઈ. સ. પૂ. ૩૭૭ બાદ થોડા જ વર્ષમાં આરંભાયેલ હોવો જોઈએ. ( નહીં કે વિદ્વાની માન્યતા પ્રમાણે ઇ. સ. ૫, ૩૨૭ આસપાસને ) ( ૮ ) જ. બી, રી. સો. પુ. ૧ પૃ. ૧૫ ના ટી. ૧૩૭ માં જણાવ્યું છે...૦ કે –( જૈન ધર્મના ) તાંબર મત પ્રમાણે ચંદ્રગુપ્તનું ગાદીએ બેસવું, અને ( આર્ય ) સુહસ્તિનનું મરણ પામવું, તે બે બનાવની વચ્ચે ૧૦૯ થી ૧૧૦ વર્ષનું અંતર છે. ( જુઓ, મિ. હરમન જેકેબીએ રચેલા પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનાનું પૃ. ૫ ) અને આ (આર્ય) સુહસ્તિન, જે સમ્રાટ સંપ્રતિના સમકાલિન હતા, તેમને સમય શ્વેતાંબર મત પ્રમાણે. મ. સં. ૨૬૫ નો છે. હવે જે આર્ય સુહસ્તિન, જે સમ્રાટ સંપ્રતિના ગુરૂ હોઈને તે બન્ને સમકાલિનપણે હતા. તેમને સ્વર્ગકાલ ૨૬૫ લઈએ તે તેમાંથી ૧૦૯-૧૦ બાદ કરતાં ચંદ્રગુપ્તના રાજ્યાભિષેકની સાલ મ. સં. ૧૫૫ (૬૫–૧૧૦=૧૫૫ ) આવી રહે છે. ઉપરની આઠ દલીલો પ્રમાણે બૌદ્ધમત, જૈનમત તેમજ અન્ય ઐતિહાસિક (વૈદિક પુરાણ સુદ્ધાં ) પુરાવાના આધારે સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યકાળના પ્રારંભ સંબંધીની સાલો નીચે પ્રમાણે ગોઠવી શકાઈ ગણાશે. ( ૧ ) મૌર્યવંશની સ્થાપના, અથવા ચંદ્રગુપ્તનું રાજા બનવું; મ. સં. ૧૪૬ (ઈ. સ. પૂ. ૩૮૧-૨ ) (ઉપરની દલીલ નં. ૨, ૩, ૪ માં સાબિત કરી ગયા પ્રમાણે) ( ૨ ) રાજા ચંદ્રગુપ્તનું મગધના સમ્રાટ બનવું અને નંદ વંશનું ખતમ થવું; મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. ૩૭૨ ( ઉપરની દલીલ નં. ૧, ૫, ૬, ૭ અને ૮ માં જણાવ્યા પ્રમાણે. ) તેના રાજ્યના આરંભની તારીખે ગોઠવી લીધા પછી, તેનું રાજ્ય તેને રાજ્ય કેટલા વર્ષ ટકયું તથા કાળ તથા કયારે અને કેમ અંત આયુષ્ય આવ્યો તે હવે નક્કી કરીએ. અને તેને નિર્ણય થઈ ગયો એટલે તેનું આયુષ્ય કેટલું હતું તથા તેની અંદગીને અંત કેમ આવ્યો, તથા તે બન્ને બનાવો એક જ સમયે બનવા પામ્યા હતા કે કેમ તે સર્વ આપે આપ સિદ્ધ થઈ જશે. ચંદ્રગુપ્ત ૨૪ વર્ષ૫૨ રાજ્ય કર્યું છે. હોય એ ભાવાર્થ ઉભો થતું, લખાણ કર્યું છે તેને મુદ્દો એમ છે કે શ્વેતાંબર સંપ્રદાયના કેટલાક ગ્રંથકારનું માનવું એમ થાય છે કે, આર્યસુહસ્તિનનું સ્વર્ગ ૨૯૦ માં થયું છે, જ્યારે કેટલાકનું માનવું ૨૬૫ નું થાય છે, તેમ દિગંબર સંપ્રદાયનું માનવું પણ ૨૬૫ નું થાય છે? અને વિશેષ ચિંતવન કરતાં જણાય છે કે દિગંબર મત વધારે ભરૂસાપાત્ર છે. (આ વિષય અહીંને નથી એટલે તેની ચર્ચા કરી નથી. માત્ર પરિણામ જ કહી દીધું છે.) (૫૨ ) ઈ. કે. ઇં. પ્રસ્તાવના ૫ ૩૨. Dipwamsa, Mahavamsa and Samant Prasadika (૫૦ ) J. 0, BR. S. Vol. I. P. 104 ૬. n. 187. “ 'The Swetambers count 110 or 109 years, betwoen the accession of Chandragupta and death of Suhastin (vide Parisistha Parya by H. Jacobi pref. 95) 'The date for Suhastin, who was a contemporary of Samprati is given by the Swetambers as 268 A. M. ( Mahavira Samvat ). (૫૧) અહીં ‘લઈએ” શબ્દ લખીને, કાંઈક શંસય
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy