SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૭૩ ] શત્રુ તરફને આ એક પ્રચાર તેણે ગણી લીધે! પોતાનું મન જે વિરમગામને સર કરવામાં એકતાર બન્યું છે અને ખાઈએ ખેદાઈ માત્ર કિર્લો સર કરવાનો પ્રયાસ આદરવાને જ બાકી છે તે બીજી દિશામાં વાળવાને આ એક શત્રુપક્ષને દાવ છે એમ તેણે ક્યાંય સુધી માન્યું ! પણ છેવટે તપાસના અંતે પ્રતાપરાવવાની વાત સાચી ઠરી એટલે તે એકદમ વીરમગામને પડતું મેલી અમદાવાદ પાછો ફર્યો. ઈ. સ. ૧૭૩૭ના વર્ષમાં મહમદશાહની અભયસિંગ પ્રતિ કરડી નજર થઈ એટલે તેણે અભયસિંગની બદલીમાં મેમીનખાનને ગુજરાતને સૂબે નીમ્યા. આ ફેરફારની રતનસિંગને ખબર મળતાં જ તેણે પોતાના માલિક અભયસિંગને પિતાને કેવી રીતે આજ્ઞા બજાવવાની છે એ માટે પૂછાવ્યું, “જે રતન સિંગથી બની શકે તેમ હોય તે મામીનખાનનો સામનો કરવો” એવો જવાબ અભયસિંગ તરફથી આવ્યું. આ ઉત્તર મળતાં જ ભંડારી રતનસિંગની હિંમત બેવડી વધી ગઈ, અને એણે મામીનખાન સામે અમદાવાદનું રક્ષણ કરવાને નિરધાર કર્યો. વર્ષાકાળ પૂરો થતાં જ નવા સૂબા મોમીનખાને અમદાવાદ સર કરવાની તૈયારી શરૂ કરી અને થોડા સમયમાં તે અમદાવાદ ઉપર ચઢી આવ્યો. કર્નલ વોટર જણાવે છે તેમ ભંડારીએ જરા પણ હિંમત હાર્યા વગર શહેરને બચાવ છેવટ સુધી કરવાને દઢ નિશ્ચય જાહેર કી. દામાજી ગાયકવાડ મામીનખાન સાથે જોડાઈ ગયા. અમદાવાદથી ત્રણ માઈલ દૂર ઈસાનપુરમાં ઉભય વચ્ચે જાણે ખાસ જૂની મૈત્રી જ હેાય એ દેખાવ થયો. આ જોડાણની ખબર રતનસિંગ ભંડારીને મળતાં જ ઘડીભર તે વિચારમગ્ન બની ગયો. પછી તેણે “ર પ્રતિ વચ્ચે કુફ” એ મુસદ્દીપણુની નીતિનો આશ્રય લેવાને વિચાર કરી દામાજીને કહેવડાવ્યું કે-મામીનખાને
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy