SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌશ્વગાથા. [ ૧૩૩ ] એમ કરવાની ઘસીને ના પાડી. વિરધવળ ઘડીભર તે વિચારમાં પડ્યો પણ વસ્તુપાળ દઢતાપૂર્વક જણાવ્યું કે પાત્રાએ નીકળેલા દુશમનના માણસનું પણ આતિથ્ય કરવું એ રાજ્યધર્મ છે અને એમાં જ આપણું શોભા છે, અને પરિણામે એથી લાભ જ થશે. ઉભય બંધુઓની એ વાત પર અડંગતા જોઈ વિરધવલે પિતાને વિચાર પડતું મૂક્યું, અને એગ્ય લાગે તેવું આતિથ્ય કરવાની મંત્રીશ્વરને છૂટ આપી. વસ્તુપાળે મુલ્લાજીને માન અકરામ આપી એવી તો આગતા-સ્વાગતા કરી કે જ્યારે એ પાછો ફરી દિલ્હી પહોંચે ત્યારે સુલતાનને ધોળકાના રાજવી તથા મંત્રીના પિતા પ્રત્યેના વર્તાવના ભારેભાર વખાણ કર્યા અને એની લાગવગથી ઉભય રાજ્ય વચ્ચે મિત્રતાને સંબંધ બંધાયે. બીજા પુસ્તકેમાં આ પ્રસંગને ઉલેખ છે પણ જુદા રૂપે નેંધાયા છે. એમાં બાદશાહના ધર્મગુરુને સ્થાને સુલતાનની માતા હજે નિકળ્યાની વાત છે અને એ બનાવ ખંભાત સમીપ બન્યાનું જણાવેલ છે. આમ છતાં મૂળ મુદ્દામાં જરા પણ ફેર પડતો નથી. એ પ્રસંગમાં બંધુયુગલની દીર્ઘદર્શિતા અને મુત્સદ્દીગીરીનાં સ્પષ્ટ દર્શન થાય છે. એમાં માનવ જીવનની સૌરભ જેમ દષ્ટિગોચર થાય છે તેમ રાજ્યધર્મ અને રાજ્યહિત પણ સ્પષ્ટ દેખાય છે. ટાંક મહાશયના નીચેના શબ્દ વસ્તુપાળ-તેજપાળના કારભાર માટે સંપૂર્ણ પ્રશસ્તિરૂપ હોવાથી મૂળ ભાષામાં ઉતાર્યા છે. *Under Vastupal' says an eye-witness,' low poople ceased to earn money by base-means; the wicked turned pale; the righteous prospered. All honestly and securely piled their calling...He repaired old buildings, planted trees, sank wells, laid out parks and rebuilt the city. All castes and creeds he treated alike. (Bom. Gáz. 1 1. 1994
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy