SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ઐતિહાસિક પૂર્વજોની કરમચંદે લીધેલું પગલું યોગ્ય દિશામાં હતું એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી જ. એ જમાનામાં વર્તમાન કાળની માફક સ્વતંત્ર રીતે ન્યાય તોળવાની પદ્ધતિ પગભર નહોતી બની. દેશી રાજ્યમાં રાજ્યકર્તાને શબ્દ એ આખરી નિર્ણય લેખાતે. એટલે જેની સામે પ્રપંચ ખેલવાને આરેપ ખડો થાય એણે પોતાની પાસેની સાબિતીઓને ચીંથરા સમજી લઈ, ન્યાય મેળવવાની આશા ઉપર ખંભાતી તાળું લગાવી, રાજ્યકર્તાના ચરણે જીવનનું કયાં તે બલિદાન દેવું અથવા તો કોઈ પણ રીતે એના પંજામાંથી નાશી છૂટવું જ રહ્યું. ટૂંકમાં કહેવાનું એટલું જ કે ઉપરના મુદ્દાની વિચારણા નિપક્ષપણે કરતાં તારણ એક જ નિકળે છે કે મંત્રી કરમચંદ નિદોષ હતો, એની સામે ઊભું કરવામાં આવેલ આરોપ પાયા વિનાને હતો. કેવળ દેશના લાભની દષ્ટિયે જોવાની સાચી નજરના કારણે જ એ રાજવીને શિકાર બન્યો હતો! એ કઈ કાવત્રાને રચનાર નહોતો, પણ સંજોગવશાત્ એનું નામ એમાં સંડેવાયું હતું. રાજ્યની સુવ્યવસ્થા મરી આવડત એને વિનાશ નોતર્યો હતો! એણે રાજવીને સાચા રાહે આણવાની તમન્ના સેવી અને એ હેતુ બર લાવવા અર્થે લીધેલા ઉપાયમાં નિમકહલાલીથી મચી રહ્યો ! પણ જેમને મંત્રીના આ કાર્યથી ગુમાવવાનું હતું તે મૂકપણે આ બધું કેમ જોઈ રહે? જે રાજવી પિતાની પૂર્વની ટેવ ચાલુ રાખે, વાહવાહથી રાજી થઈ છુટથી પૈસા ખરચે તો જ પોતાના ખીસા તર થાય એવું જેઓ માનતા તેઓ આમ સરળતાથી સોનાના ઇંડા મૂકનાર હંસને એકદમ છટકવા દે તેટલા ભેળા નહોતા. તેઓએ કવિપત કાવત્રાની હવા સજી એનું ઝેર રાજવીના કાનમાં એવા જોરથી ભર્યું કે જેથી તે પિતાની સાન–સમજ સાવ ભૂલી ગયો ! અરે, એટલું પણ ન જોઈ શકો કે જેના
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy