SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ કરે અને પોતાના દોષોને ક્યારેય ન છૂપાવે ! ફાડી નાખ્યો તે પોતાના પર આવતા ગાંધીજીના બધાય પત્રો વિનોબાજી ખાસ સાચવતા...એકવાર એક પત્ર આવ્યો...ગાંધીજીનો જ એ પત્ર હતો છતાં વાંચીને તેમણે તુર્ત જ ફાડી નાખ્યો... બાજુમાં બેઠેલાએ પૂછયું, “તમે આમ કેમ કર્યું ?' આ પત્રમાં ગાંધીજીએ લખેલું કે “તમારા જેવો આત્મા મેં ક્યાંય જોયો નથી..' ગાંધીજીએ ઉદાર દ્રષ્ટિથી મને જેવો જોયો તેવો વર્ણવ્યો...પરંતુ મારામાં રહેલા ઢગલાબંધ દોષોની એમને ક્યાં જાણ છે..? એ ગણતરીએ આત્મપ્રશંસા કરાવતો આ પત્ર મેં ફાડી નાખ્યો...' વિનોબાએ જવાબ આપ્યો... વ્યવહારમાં આવી મનોવૃત્તિ વિના લોકપ્રિય બની શકાતું નથી તો પછી આધ્યાત્મિક જગતમાં વિકાસ કરવા માટે આવી મનોવૃત્તિને અપનાવ્યા વિના ચાલે એવું જ ક્યાં છે ? ગુણાનુરાગી વ્યક્તિનું તો એક જ ધ્યેય હોય છે ગુણસંગ્રહનું ! ધનલંપટ માણસ જેમ જ્યાં જાય ત્યાં ધન-સંગ્રહ જ કરતો જાય તેમ ગુણલંપટ આત્મા જ્યાં જાય ત્યાં ગુણસંગ્રહ જ કરતો જાય ! કારણ કે એને પૂરી ખાતરી હોય છે કે પરલોકની સદ્ધરતા બીજાના દોષો સંઘરવામાં નથી પણ ગુણો સંઘરવામાં છે ! કૂવો ખોદી રહેલા માણસોને જોયા છે ? શરુઆતમાં તો એના હાથમાં પથરાઓ આવતા હોય છે...પછી રેતી.. પછી કાદવ અને પછી પાણી ! પણ જ્યાં કાદવ હાથમાં આવે ત્યાં જ તેઓ રાજીના રેડ થઇ જતા હોય છે. કારણ કે કાદવના દર્શને તેઓને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે પાણી તો હવે હાથવેંતમાં જ છે... એ જ રીતે કોઇપણ વ્યક્તિમાં તમારે ગુણ જોવા હોય તો શરૂઆતમાં કદાચ તમને દોષો જ દેખાશે પણ ધીરજ ધરશો તો ધીમે ધીમે ગુણદર્શન થયા વિના નહિ રહે ! કારણ કે દોષ જેનામાં છે એ આખરે તો અનંત ગુણોનો માલિક આત્મા જ છે ! યાદ રાખજો.. કૂવો ખોદવા જતા હજી કદાચ પાણી ન મળે એવું પણ ૩િ૪૯
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy