SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સગુણોનું પ્રવેશદ્વાર સત્સંગ : - જીવનના તમામ સગુણોનું પ્રવેશદ્વાર સત્સંગ છે. સત્સંગના પ્રભાવથી દોષોના દૂરીકરણનો માર્ગ આરંભાય છે. આપણા જીવનમાં અનેક દોષો અને પાપ પ્રવેશી ચૂક્યાં છે. એ તમામનો નાશ કરવા માટે સત્સંગનો આશ્રય આપણે જરુર લેવો જોઇએ. સત્સંગના પ્રભાવના ગુણ ગાતા સંત તુલસીદાસે કહ્યું છે એક ઘડી આધી ઘડી; આધીમેં ભી આધ, ; તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ. એક ઘડી એટલે ચોવીસ મિનિટ..અરે એનીય અડધી એટલે બાર મિનિટ...અરે ! એ અડધીની પણ અડધી એટલે માત્ર છ મિનિટ...પણ જો સંતપુરુષની સંગતિ (સત્સંગ) મળી જાય, તો કરોડો જનમોનાં પાપ ધોવાઇને સાફ થઈ જાય. સત્સંગનો મહિમા કેવો અપરંપાર છે ! કારણ કે સંત એટલે સગુણોનો સુવાસિત બગીચો. બગીચામાં ગયેલો જેમ પુષ્પોની-સુવાસથી આનંદિત ન થાય એવું ન બને, તેમ સંતના સાનિધ્યમાં ગયેલો સગુણોની સુવાસથી સુપ્રસન્ન ન બને એવું કદી ન બને. અને જો એવું બને તો સમજવું કે કાં એ સાચા સંત નહિ અને કાં જનારો માનવદેહ પથ્થર (જવો જડ) હશે ! જગતના ઇતિહાસમાં પૃષ્ઠો ઉકેલીને વાંચશો તો સમજાશે કે દુનિયામાં થયેલા મોટા ભાગના સદગુણીઓ, સંતો, સજ્જનો અને સાધુવરો કોઇ ને કોઇ સંતપુરુષના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ નીચે આવીને જ સન્માર્ગને પામ્યા હતા. વાલિયો લૂંટારો સંતપુરુષને ભેટીને જ વાલિયામાંથી વાલ્મીકિ બન્યો હતો ને ! પત્નીરુપી સત્સંગથી કામાંધ તુલસીનું સંત તુલસીમાં રુપાંતર : સંત તુલસીદાસ સંસારી જીવનમાં અત્યંત કામાંધ હતા. એકવાર એમની પત્ની રત્નાવલી પિયર ગઇ તો ત્યાં રાત્રિના સમયે, પત્નીની રુપાળી કાયામાં લુબ્ધ બનેલા તુલસી પહોંચી ગયા.
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy