________________ 3. અનંગ કિડા - સ્ત્રીના અવયવોને સ્પર્શ કરવો. 4. પરવિવાહકરણ - બીજાના (નાતરું પુનર્લગ્ન) લગ્ન આદિ ગોઠવી આપવા. 5. કામભોગનો તીવ્ર અભિલાષ - વિષય વિલાસ ભોગવવાની અત્યંત ઉત્કંઠા. બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરનાર (ચુસ્ત રીતે પાળનાર) આત્માને મુખ્યત્વે નરકાદિ દુર્ગતિમાં જવું પડતું નથી. જેણે ધર્મસાધના કે આધ્યાત્મિક રીતે કાયોત્સર્ગ ધ્યાનાદિ અઅલીત કરવાની મનોકામના હોય તેણે સર્વપ્રથમ આ વ્રતનો દ્રઢતાથી સ્વીકાર કરવો જોઇએ. Iબ્રહ્મચર્યના પાલનના પગથિયા બ્રહ્મચર્ય પાલન એક અગ્નિ પરીક્ષા સમાન છે. સાવધાની જો બરાબર રાખે તો તરી જાય. માટે તેના પતનના પગથિયા જોઇ લઇએ. 1) સર્વપ્રથમ એક બીજાને આંખ આમંત્રણ આપે. 2) ચિત્તભ્રમ થવાથી સામી વ્યક્તિનું વારંવાર સ્મરણ થાય. 3) મેળવવા મળવા માટે પ્રયત્ન થાય. 4) ન મળે તો બેચેની થાય, ઉંઘ હરામ થઇ જાય. 5) અનિદ્રાથી શરીરમાં વ્યાધિ | હાની થાય. 6) દિવસભર અન્ય પ્રવૃત્તિમાં ઉદાસીનતા આવે. 7) શરમ લજ્જા ત્યાગની ભાવના. 8) ઉન્માદ પાગલપણું. 9) કામાંધતાના કારણે વિવેક બુદ્ધિનો અભાવ. 10) કાર્ય ન સધાતા મૃત્યુની પસંદગી. 11) એકાંત (12) અંધકાર 13) અનુકૂળતા એક જ ભવ (જીવન) માં આ રીતે અબ્રહ્મના સેવનના વિચારો માત્રથી પતન થવું સંભવિત છે. શીલ બ્રહ્મચર્યની વિરાધના પતનના પગથિયાની સાથે શીયળ પાળવામાં વિનરૂપ નિમિત્તો આવા અનુભવાય છે. 1. સ્ત્રી સંસર્ગ, 2. રસિક આહાર, 3. સુગંધિત શરીર, 4. કોમળ શવ્યા. 5. શૃંગાર, 6. મધુર-મીઠા શબ્દ શ્રવણ, 7. ધન લાલચ, 8. કુશીલ સંસર્ગ, 9. સેવા, 10. રાત્રીમાં પ્રવાસ.