________________
ભગવાન મહાવીરના માતા દેવાનંદા ને ત્રિશલા રાણી પૂર્વ ભવે જ્યારે દેરાણી જેઠાણી હતા ત્યારે અલંકારનો દાબડો છૂપાવ્યો હતો. તેથી આ ભવમાં ૮૨ દિવસ પછી બન્ને વચ્ચે ગર્ભાહરણનો પ્રસંગ થયો. કહેવાનું તાત્પર્ય એજ કે માત્ર ચોરી જ નહિં, કોઇનું મશ્કરીમાં છુપાવવાથી પણ પાપ લાગે છે. જે લોકો ખાતર પાડી, ધાડ પાડી, તાળા તોડી, ખીસ્સા કાપી કે અપહરણાદિ કરી મોટી ચોરીઓ, નિંદનીય કૃત્યો કરે છે, તેઓને કેટલું પાપ લાગે છે તે સમજી શકાય તેવું છે. T કુમારપાળ રાજાએ દુઃખી અવસ્થામાં ઉંદરે બીલમાંથી કાઢેલી સુવર્ણ મુદ્રા (ચોરી હતી) લીધી હતી. પરિણામે ઉંદર મરણ પામ્યો. 0 શેઠને ઘરે ચોર ચોરી કરવા આવ્યા. તો શેઠને ઉંઘમાં જ આ બોલ્યા કે, ધન લીધું કે, ગાઠડી બાંધી કે, એવા વચન બોલતા હતા. એ સાંભળી ચોર મુંઝાયા અને ચોરીનો માલ લીધા વગર ગયા. 0 પુણિયા શ્રાવકની શ્રાવિકાએ પડોસીને ત્યાંથી કહ્યા વગર એક છાણું લાવી તેના દ્વારા રસોઇ કરી તેથી શ્રાવકનું સામાયિકમાં મન ન ચોંટ્યું.
ચોરનું જો વર્તમાન જીવન તપાસવામાં આવે, તો (૧) ભીખારી કે દયાપાત્ર દશામાં સમય પસાર કરે. (૨) ચોરેલું ધન ગમે તેટલું હોય પણ લાંબુ ટકે નહિં. (૩) ચોરેલા ધનમાંથી ભાગ માગનારા ઘણાં આવે. જો ન આપે તો વેર વધે. (૪) ચોરને શાંતિથી ખાવા, ઉંઘવા કે જીવવા ન મળે. (૫) ચોરને સાંત્વન આપી આંસુ લૂછનારા કોઇ ન મળે. (૬) ભયથી હંમેશાં એ ભયભીત હોય. (૭) પકડાય જાય તો મરણતોલ માર ખાવો પડે, જેલમાં જવું પડે યાવત્ ફાંસીના માચડે પણ ચડવું પડે. પ્રિસંગો) 0 દેવાનંદા - પૂર્વ ભવે દાબડો છૂપાવ્યો. 0 રોહણીય ચોર- પ્રભુવીરનું એકવચન સાંભળી તરી ગયા.
પ્રભવ ચોર- જંબુકમારને ત્યાં ચોરી કરવા માટે આવ્યા પણ સફળ ન થતાં
ઉપદેશ સાંભળી સંયમી થયા. 0 લક્ષ્મી મુંજ (ગણધર) - વ્રતને દઢતાથી પાળી ધન્ય બન્યા.
વંકચૂલ - ચાર પ્રતિજ્ઞાના પ્રભાવે ધન્ય બની ગયો. રાજાનો વિશ્વાસુ મહાઅમાત્ય ,
બન્યો. આ ચોરીથી... T સત્વની હાનિ થાય છે.