________________
કોઇના ય દિલને ઠેસ લાગે એવો ભાષા પ્રયોગ ન કરવો. અશ્લીલ વાણી, કટાક્ષો, વ્યંગબાણો, જોકસ આદિ ન ઉરચરવા
કોઇની પણ ગુપ્ત વાતો ન સાંભળવી. કદાચ સંભળાઇ જાય તો રહસ્ય ખુલ્લા ન કરવા. ગંભીર બનવાનું લક્ષ રાખો.
કેિટલાક પ્રશ્નોત્તરી
ભવ રાશિમાં ભમતાં પોતાના માટે, કુટુંબ પરિવાર માટે હે પ્રભુ! નાનું મોટું જુઠું બોલી ક્રોધાદિથી પણ અસત્ય ઉચ્ચારી મારા સત્ય સ્વરૂપી આત્માના ગુણોનો વિધાતક બન્યો, અધે ! આત્માનું અભાષક
સ્વરૂપ મને પ્રાપ્ત થાઓ એવી અશ અભિલાષા! પ્ર. ૧ મૃષાવાદ વિરમણ વ્રત કોને કહે છે? ઉત્તર જુઠનો ત્યાગ કરવો તેને મૃષાવાદ વિરમણ વ્રત કહે છે. પ્ર. ૨ કેટલા પ્રકારના જુઠ છોડવા લાયક છે? ઉત્તર કન્નાલિકગોવાલિક, ભોમાલિક, થાપણમોસો, મોટી કૂડી સાખ આ પાંચ જુઠ છોડવા લાયક છે. પ્ર. ૩ જીવ સંબંધી જુઠ કેટલા ? ઉત્તર કન્નાલિક, ગોવાલિક, અને સચિત ભૂમિ હોય તો ભોમાલિક. પ્ર.૪ ભગવાનના ખોટા સોગંધ ખાય તો કયો દોષ લાગે ? ઉત્તર કુડી સાખ. પ્ર. ૫ ખોટી ઉંમર બતાવી દિકરી પરણાવે તો કયો દોષ લાગે ? ઉત્તર કઢાલિકનો દોષ લાગે છે. પ્ર. ૬ દેવાળું ફૂંકનારને કયો દોષ લાગે? ઉત્તર થાપણ મોસાનો દોષ લાગે. . પ્ર. ૭ વિશ્વાસે મૂકી જાય વસ્તુ, આરોગી જાય જેમ પશુ તો કયો દોષ લાગે ? ઉત્તર થાપણમોસો. પ્ર. ૮ વિશ્વાસનું વ્રત કર્યું? ઉત્તર બીજું વ્રત. સત્યભાષી સદા વિશ્વાસ હોય છે. પ્ર. ૯. મૃષાવાદના અતિચાર કેટલા છે ? ક્યા કયા? ઉત્તર મૃષાવાદના અતિચાર પાંચ છે.