________________
* ભવ-આલોચના * જ્ઞાનાચારસંબંધી
અકાલે અધ્યયન કર્યું.
ગુરુ તથા જ્ઞાનનો વિનય કર્યા વિના અધ્યયન કર્યું. સૂત્ર અને અર્થ વિપરીત રીતે ગ્રહણ કર્યાં.
કાગળ-પુસ્તક...વગેરે જ્ઞાનનાં સાધનોને પગ લગાડચો-બાળ્યાં. તે ઉપર બેઠા. આહાર-નિહાર કર્યો. તેની આશાતના કરી.
ભણનારને અંતરાય કર્યો.
જ્ઞાનીની નિંદા કરી.
અંતરાયમાં જ્ઞાનના સાધનોનો ઉપયોગ કર્યો, અધ્યયન કર્યું. તોતડા-બોબડા વગેરે અજ્ઞાનીની અવહેલના મશ્કરી કરી. જ્ઞાનાદિ દ્રવ્યનું ભક્ષણ કર્યું. છતી શક્તિએ તેની રક્ષા ન કરી.
દર્શનાચારસંબંધી
શ્રી જિનેશ્વર દેવના વચનમાં શંકા કરી. એનાથી વિપરીતપણે પ્રરુપણા કરી. દેવ-ગુરુ-ધર્મ તથા સાધર્મિકની નિંદા કરી. છતી શક્તિએ તેમની ભક્તિસેવા-બહુમાન કર્યું નહિ.
અન્ય ધર્મની ઇચ્છા કરી, તેને સારો માન્યો.
મિથ્યાત્વીઓને પોષ્યા. તેમનો પરિચય કર્યો. તેમને ઉત્તેજન આપ્યું.
પાસસ્થાદિની જાણી-જોઇને ભક્તિ કરી.
બીજાઓ ધર્મથી વિમુખ બને એવી પ્રવૃત્તિ કરી.
પ્રતિમાજી પડી ગયાં. તેની સાથે કળશ વગેરે ઉપકરણો અથડાયાં.
અશુદ્ધ વસ્ત્ર તેમજ અશુદ્ધ દ્રવ્યોથી પૂજા કરી.
મુખકોશ બાંધ્યા વિના પૂજા કરી.
અવિધિથી પૂજા કરી.
વાળાકૂંચી વગેરેનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો.
સૂક્ષ્મ રીતે દેવદ્રવ્યાદિનો ઉપયોગ કર્યો.
દેરાસરમાં નાક-કાન આદિનો મલ નાંખ્યો. થૂંક પડ્યું, ખાન-પાન કર્યું, હાંસી-મશ્કરી કરી...વગેરે આશાતના કરી.
૧૮૧ મ