________________
કેમ શું થયું?
“હમણાં જે ગાડી ઉપાડી તેનો જખી સ્ટેશને ભયંકર એકસીડન્ટ થયો છે. ઍન્જિનની બાજુના ત્રણે ય ડબ્બા સાફ થઇ ગયા છે.”
હું તો આ સાંભળી સજ્જડ થઇ ગયો. બીજા ડબ્બામાં જ મારી સીટ હતી. મને નિષ્કારણ ડબ્બામાંથી ઉતારનાર એ માણસને શોધવા હું આખો સ્ટેશન પર ફરી વળ્યો. પણ તે દેખાયો જ નહિ...આમ “એ માણસ કોણ'નું રહસ્ય આજ સુધી વણઉકેલ્યું રહ્યું છે.”
આપણી દષ્ટિમાં મામૂલી ગણાતો નિયમ પણ કેવો પ્રભાવશાળી હોય છે તેનો આવા પ્રસંગે ખ્યાલ આવે છે..અને એ નિયમ સ્વીકારવાની રુચિ પેદા થાય છે. પિાંચ અતિચાર) (૧) ઉર્ધ્વદિષ્ણુ પ્રમાણતિક્રમ - ધારેલી મર્યાદા કરતાં વિમાન દ્વારા અથવા પહાડ આદિ
ઉપર ઉચું જવું નહીં. (૨) અધોદિ પ્રમાણતિક્રમ- ધારેલી મર્યાદા કરતાં કુવા-ખાણ, પહાડ આદિથી નીચે
ઉતરવું નહીં. (૩) તિર્યગદિમ્ પ્રમાણતિક્રમ - ધારેલી મર્યાદા કરતાં ચાર અથવા કોઇ પણ એક
દિશા વિદિશામાં વધુ જવું નહીં. (૪) ક્ષેત્રવૃદ્ધિ પ્રમાણતિક્રમ-બધી દિશામાં ધારેલી મર્યાદાને ભેગી કરી કોઇ પણ એક
દિશા વધારે દૂર જવું નહીં. (૫) સ્મૃતિ અંર્તધ્યાન - કેટલી મર્યાદા ધારેલી છે તે ભૂલી જવી.
આ અતિચારોની સાથોસાથ (૧) દેશવિદેશમાં કાગળ, તાર, ફોન, ફેક્સ વિગેરે દ્વારા વિચારોની આપ-લે કરવા માટે (૨) ધારેલા ક્ષેત્રની બહાર અન્ય વ્યક્તિઓને પોતાના કામ માટે મોકલવામાં આવે તો. (૩) અજ્ઞાનતા આકસ્મીત કે પરાધીનતાના કારણે અવર જવર કરવી પડે તો (૪) તીર્થયાત્રાદિ ધર્મના કાર્ય માટે મર્યાદા ઓળંગી જવું પડે તો તે માટેની જયણા (છૂટ) રાખવામાં આવે છે. (સ્વીકારાય છે).
જે આત્મા દિગુ પરિમાણ વ્રત સ્વીકારે છે તેનું મન ધર્મધ્યાનમાં સહેલાઇથી સ્થિર થાય છે. મોક્ષપ્રાપ્તિની ઇચ્છાવાળા આત્માએ પોતાનું કાર્યક્ષેત્ર દિગુપરિમાણ દ્વારા નક્કી કરવું જોઇએ. ધ્યેય નિશ્ચિત થવાથી વધારાની દોડાદોડ જે કરવા આત્મા પ્રેરાય છે. તે બંધ થઇ જાય. ધારેલી દિશા ઉપરાંતની દુનિયામાં જે છ કાયના જીવોની વિરાધના થાય છે. તે અનુમોદનાના પાપોથી આત્મા બચી જાય છે. અર્થાત્ ત્રણ સ્થાવર જીવોને અભયદાન અપાય છે. વિષયો કષાયોની માત્રા ઘટી જાય છે. ઉદા. “જે ગામ જવું નહીં