________________
'..દિશિ પરિમાણને રંગ
આ દ્રવ્ય હંમેશા ક્ષેત્રના આધારે રહે છે.
જગતમાં જેટલું જાણો એટલું મરો. 0 જેટલું જુઓ એટલું રૂઓ. 0 દીકરો માતાનું રક્ષણ કરે, માતા દીકરાનું પાલન કરે તેમ ધર્મક્ષેત્રમાં
ધર્મનું પાલન તમે કરો અને ધર્મ તમારું રક્ષણ કરે. T બધા પાપોનું પ્રવેશદ્વાર આંખ છે. આ જગતપતિનું દર્શન કરે તેને જગતના દર્શનની વાસના ખલાસ થઇ જાય આ પારકાની ચેષ્ટા માટે આંધડા, બહેરા અને મૂંગા બની જાઓ.
શ્રાવકમાં ૧૨ વ્રતમાંનું છઠ્ઠા નંબરનું વ્રત છે. “દિક્પરિમાણ વ્રત.” ઊંચે નીચે કે તછ વધુમાં કેટલું જવું તેનું પરિમાણ નક્કી કરી દેવું...
એક વાત સમજી રાખવી કે આવાગમન માટેના ક્ષેત્રના મર્યાદા જેટલી વધુ તેટલી પાપારંભની શક્યતા વધુ...કારણ કે તે તે ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યોનાં દર્શનથી નથી...ઉપભોગથી આત્મામાં આસક્તિ વગેરેનાં કુસંસ્કારો મજબૂત બને છે. જો મર્યાદિત ક્ષેત્રમાં જ રહેવાનું હોય તો તે ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રોમાં થતી જીવહિંસા, આરંભ સમારંભ વગેરેનાં પાપોથી આત્મા પ્રાયઃ કરીને લપાતો નથી..
અનેક પ્રકારની વેજ્ઞાનિક શોધોએ માનવીના મનમાં પડેલી અનેક અતૃપ્ત ઇચ્છાઓ બહેકાવી છે...દેશ પરદેશમાં થતા પરિભ્રમણે માનવને વધુ ને વધુ વાસનાનો ભિખારી બનાવ્યો છે. પ્રત્યેક વસ્તુનું દર્શન રાગ દ્વેષની પરિણતિ પેદા કરાવી જાય છે. એ વસ્તુને મેળવવા જીવ સાચા ખોટા અનેક રસ્તાઓ અપનાવે છે. પરિણામે વસ્તુ કદાચ મળે તો આસક્તિ વધે છે. ન મળે તો મેળવવાની લાલસા સતત ઉભી રહે છે !
આ બધા સંભવિત અપાયોથી બચવા આવાગમનના ક્ષેત્રની મર્યાદા નક્કી કરી દેવી બહુ જરૂરી છે..
નહિતર તો કહેવાય છે ને કે આ જગતનું જેટલું વધુ જાણો તેટલા મરો, અને જેટલું વધુ જુઓ તેટલા રુઓ....