SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાએ પોતાના દીકરાના રીસેપ્શનના કાર્ડ પણ છપાવ્યા. રાતના ૮થી ૧૦ જમવાનું ગોઠવ્યું. રાજુએ કાર્ડ જોઈ પિતાજીને કહી દીધું, રીસેપ્શન રાતના નહીં ગોઠવાય. ૫૦૦ જેટલા વી.આઈ.પી. માણસો આવશે માટે આ ફંકશન રાતના જ શોભે. રાજુએ કહ્યું કે જો તમે રાતના જ ફંકશન રાખવાના હો તો મારે પરણવું જ નથી. બેટા, આપણા મોભાના હિસાબે આ બરાબર ગોઠવ્યું છે. રાજુના જીવનમાં જૈનત્વનો સ્પર્શ હતો. પ્રભુની આજ્ઞા સમાન તિલકનું હું અપમાન તો નહીં જ કરૂં. રાજુએ લગ્નનો કાર્યક્રમ બપોરના ગોઠવ્યો. બધાને આમંત્રણ કાર્ડ મોકલાવ્યા. જૈનત્વની ખુમારીથી ગોઠવાયેલા ફંકશનમાં બપોરના પણ સંપૂર્ણ હાજરી રહી. પ્રેમથી બધા બપોરના જમ્યા. પિતાએ પુત્રને ધન્યવાદ આપ્યા. આવા રાજુઓનાં દર્શન કરજો. જીવનમાં પરિવર્તન લાવીને દીકરાએ પિતાને ધર્મ પમાડ્યો. તમને જ પ્રવચનમાંથી કાંઈ બોધ ન થતો હોય તો દીકરાઓને મોકલાવજો. એ તમને ધર્મ પમાડશે. ખરેખર! તમે સાચા જૈન છો કે નહિ તેનું ચેક-અપ કરાવજો. એક શેઠે નિયમ લીધો. ક્યારેય પણ જુઠું ન બોલવું. શેઠ ઘેર ગયા. એક ભાઈ શેઠ પાસે ઉઘરાણી કરવા આવ્યા. શેઠ ઘરે છે? શેઠ શેઠાણીને કહ્યું – કહી દે શેઠ ઘરે નથી. શેઠાણીએ કહ્યું કે તમારે તો જુઠું ન બોલવાનો નિયમ છે ને? ત્યારે શેઠે ઉત્તર આપ્યો - એટલે જ તને કહું છું કે તું કહી દે. આત્મછલનાઓ, દાંભિક વૃત્તિઓ આપણને ક્યાં નાંખશે એની ખબર નથી. ગુરૂના દેહને વગડામાં મૂકી આવ્યા પછી શિષ્ય નજર ચૂકવી પાછો વગડામાં ગયો. પ્રાણવિહોણા દેહને પકડી મોટું ખોલે છે. હાથમાં પથ્થર લઈને કહે છે તમારી દાઢ દુઃખતી હતી એટલે રાબડી પી ગયા, ત્યારથી તમારી દાઢ મને ખૂંચતી હતી. લ્યો, આજે મને શાંતિ થશે. આમ કહી પથ્થરથી દાઢ તોડી નાખી. જીવનમાં જેટલા પાપ થાય છે એ બધા પાપના મૂળમાં પુદ્ગલ પ્રેમ છે. નયનાબેનને જેટલા ટી.વી.માં મગ્ન બનાવ્યા એટલા પ્રભુના દર્શનમાં મગ્ન બનાવો. પ્રભુનો પ્રેમી મુક્તિનો પ્રેમી બને છે. પરમ તત્ત્વોમાં સમર્પણ આવતા અનેક સવાલો બંધ થઈ જશે. મૃગાવતીજી પ્રભુની દેશના સાંભળી ઉપાશ્રયમાં આવ્યા. એમના ગુરૂણી ચંદનબાળાએ કહ્યું, “તમારા જેવા કુલીનને આસૂરીવેળાએ આવવું શોભતું નથી.' મૃગાવતીજીએ ત્યારે શું પ્રતિધ્વનિ આપ્યો? તમે આવ્યા ત્યારે મને – • ૦૨ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy