________________
જોવાનું છે. હૃદય પર ઘટના ઘા કરે તો આઘાત લાગે, પ્રત્યાઘાત આપે. દુનિયામાં જે કાંઈ પણ થાય છે એનું કારણ? પોતાના કર્મ જ.
ઘટના ઘા કરી જાય છે કર્તાભાવને કારણે જ. બુદ્ધિથી જોઈ ઘટનાના કર્તા-ભોક્તા ન બનતા માત્ર દષ્ટ બની રહીએ. તમને સુખી દુઃખી કરનાર હું છું, તમારું કશું જ નથી ચાલતું.’ આ બધી વિચારણા કતભાવની જ છે. કતભાવમાંથી સાક્ષીભાવમાં આવી જવાથી જગતના ઘણાં દુઃખોમાંથી છૂટી જવાંશે. તમામ વ્યથા-વેદનામાંથી તરી જવાની હોડી છે સાક્ષીભાવ. મેં તો સિફ દેખનેવાલા હુંઆ દૃષ્ટાભાવ છે. માણસ મરી જાય ત્યારે એને ઉપાડીને સ્મશાને લઈ જતા માણસો રામ બોલો ભાઈ રામ બોલે છે. આખી જિંદગી હરામ રહે તેને આ જ સાંભળવું પડે ને?
એક જ રસ્તા ઉપરથી કોઈકની સ્મશાનયાત્રા ને કોઈકનો વરઘોડો નીકળ્યો છે. રસ્તા પર ઊભેલા ટ્રાફિક પોલીસને શું થાય? હરખ-શોક કશું જ નહીં. ટ્રાફિક પોલીસ પર કોઈ અસર નથી. એનું કાર્ય રસ્તો ક્લિયર કરી આપવાનો. જાન હોય કે ઠાઠડી, એ જાનના વરરાજાને પણ જુએ ને સ્મશાનયાત્રાના મડદાને પણ જુએ. બંને પ્રસંગોમાં એને માત્ર દષ્ટાભાવ સાક્ષીભાવ ધારણ કરવાનો છે. આ લગ્ન હું કરાવી આપું છું એ કર્તાભાવ છોડી દો. સમક્તિ દૃષ્ટિ આત્મા એ ટ્રાફિક પોલીસ જેવો હોય.
દિલ હોય એને ફીલ થાય, પેલા રોડ પર ઉભેલા સ્ટેટુને કાંઈ થાય?
જગતની ઘટનાને સાક્ષીભાવે જોતા શીખો. ઘટનાના કતા-ભોક્તા જે બને છે તે દુઃખી થાય છે. હું માત્ર જગતનો સાક્ષી છું. સાક્ષીભાવ આગળ વધી સમ્ય બને છે.
‘તમે સાક્ષી છો પણ મારા માટે હું કર્તા-ભોક્તા છું.” આ વાત ઉપર મયણા ટકી રહી ત્યારે તો શ્રીપાલ-રાસ રચાયો. જગતની બત્રીસીએ ગવાયેલવંચાયેલ આ રાસ પ્રસિદ્ધ છે. છેવટે વળાંક એ જ આવ્યો ને? બીજા માટે આપણે કર્તા-ભોક્તા બની શકતા નથી. ધારેલું કશું જ થતું નથી. ન ધારેલું થાય એનું નામ સંસાર, જે સાક્ષીભાવમાં ન ટકી શક્યા તો કલેશ-કંકાસમાં અટવાઈ જવાશે. “મારૂં કહેલું ન થયું આ ભાવ પણ દુઃખી બનાવે છે.
આત્મમસ્તીમાં મસ્ત બનેલા સંતને ભક્ત પૂછ્યું, “મહાત્મન્ ! કોઈ સારું બોલે, ખરાબ બોલે તમારા ચહેરા પર કશી જ અસર નથી તેનું કારણ શું?”
=
• ૬૮ •
=