SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્રયના સામણ કહે તે પ્રમાણે થાય. સામણ કહે તે પ્રમાણે સાધ્વીજીઓએ કરવાનું. ચૌમાસી પ્રતિક્રમણ કરવા ભેગા થયા. સામણે કહ્યું, “મહારાજ! હવે પ્રતિક્રમણ શરૂ કરીએ. સાથે સાથે કહ્યું કે જે ઉતાવળથી બોલનાર હોય એને આદેશ આપજો.” અતિચારનો આદેશ પણ પોતે જ આપ્યો. સાધ્વીજી મ, જોયા કરે. કશું બોલતા નથી. અજિતશાંતિ આવી. સામણે કહ્યું, “રાગથી ન બોલતા સીધાજ બોલી જાઓ.' પ્રતિક્રમણ થઈ ગયું. રોજનો પ્રતિક્રમણ બાદ અડધો કલાક સામણ બેસે સાધ્વીજી મ. પાસે અને અલકમલકની વાતો કરે. પ્રતિક્રમણ પછી સંસારની વાતો કરવી હોય તો ત્યાગીઓ પાસે બેસતા નહીં. સંવરના સ્થાનને અભડાવવાનું કામ ન કરતા. આજે તો પ્રતિક્રમણ બાદ તરત સામણ ચાલ્યા ગયા. બીજે દિવસે સાધ્વીજીએ સામણને પ્રશ્ન પૂછ્યો કે કાલે પ્રતિક્ષ્મણ પછી તરત કેમ ચાલ્યા ગયા? સામણે કહ્યું, “એ તો ગઈ કાલે ટી.વી. ઉપર ચિત્રહારનો કાર્યક્રમ હતો. એટલે સૂત્રો પણ જલ્દી પૂરા કરાવ્યા.” આશ્રવમાંથી સંવરમાં જવા મળે તો ખરેખર! આનંદ થવો જોઈએ. આપણી કેવી વિષમ પરિસ્થિતિ છે. સંવરમાં રહ્યું છતે આશ્રવના દરવાજા છૂટતા નથી. એક પ્રતિક્રમણનો લાભ કેટલો? પ્રતિક્રમણનો ઉપદેશ આપે તેને ૧૦ હજાર ગાયોનું એક ગોકુળ એવા ૧૦ હજાર ગોકુળોનું દાન આપતા જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય માત્ર એક પ્રતિક્રમણ કરવાનો ઉપદેશ આપે તેને મળે. ઈરિયાવહી કરતા કેટલો લાભ મળે? જ્ઞાનીઓ જણાવે છે કે ૫૦૦ ધનુષ્ય પ્રમાણની ૨૮ હજાર નવી પ્રતિમા બનાવે તેને જે પુણ્ય મળે તેટલું પુણ્ય એક ઈરિયાવહી કરતા થાય. પંચાશક જેવા ધર્મગ્રંથ વાંચો તો ખ્યાલ આવે. જાવડ શાહે સિદ્ધગિરિનો સંઘ કઢાવ્યો. એના મૂળ કારણમાં વજસ્વામી ભગવાન બેઠા છે. વજસ્વામીજી પાસે એક દિવસ અચાનક દિવ્યપ્રકાશ થયો. એક દૈવી પુરુષ પ્રગટ થઈ કહેવા લાગ્યો કે ઓળખ્યો મને? વજસ્વામીજી પૂછે છે કે તું કોણ છે? દૈવી દેવે જવાબ આપ્યો કે સાહેબ આપનું હું સેવક દેવ થયો છું એ દૈવની સહાયથી સિદ્ધગિરિનો સંઘ કરાવ્યો. સાથે એ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. વજસ્વામીજીનું જીવન રોમાંચનું છે. વજસ્વામીનો જન્મ થયો ત્યારે એના સુંદર સ્વરૂપને જોઈ આજુબાજુવાળી પડોશી સ્ત્રીઓ એક બીજાને કહેવા લાગી કે અત્યારે એના પિતા હોત તો જરૂર મહોત્સવ કરાવત પણ એ તો દીક્ષા લઈ ગયા. બહેનોના બોલવાથીજ આપણને વજસ્વામી મળ્યા. સ્ટીઓને વાતો કરવાનો સ્વભાવ હોય છે. એક બેન ડૉકટર પાસે આવીને કહ્યું કે મારા પતિ રાતના બહુ બોલે છે. કાંઈક દવા આપો. ડૉકટરે જય જણા ૨૭૨ વિજ્ઞાન જાથા aa Baa N BRRRIEtta Eta Y atti - JaiBY હાંપના કારણ Y r
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy