SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સૌભાગ્યવતી સતી સ્ત્રી અંજના છે. પવનંજય અંજનાનું નામ સાંભળતા જ અંદરથી કંપી ઉઠ્યો. પવનંજય અંજનાની આગળ એક ડગલું આગળ વધે છે. પ્રહસ્તિ વિચારે છે કે આ અવસરે જરૂર પવનંજય અંજનાના મંગલ ઓવારણા સ્વીકારશે. પરંતુ ત્યાં જ પવનંજયે હાથમાં રહેલી અંજનાની થાળી એક લાત મારી ઉડાડી દીધી. અત્યારે તારું કાળું મુખ મને બતાવવાની શું જરૂર હતી? અંજના ત્યાં જ ઢળી પડી. રથ આગળ ચાલ્યો ગયો. વસંતા અંજનાને ઉપાડી મહેલમાં લાવે છે. પંખાથી અંજનાને વાયુ વાય છે. થોડી વારે અંજના ભાનમાં આવે છે. વસંતાને પવનંજયના ધિક્કારભર્યો વર્તનથી ખૂબ જ ગુસ્સો આવ્યો છે. અંજના ભાનમાં આવતા બોલે છે, પરમાત્મા! મારા પાપનો ઉદય આટલો બધો? આટલી બધી અમાવાસ્યા કયારેય ટકે ખરી? ત્યારે જ વસતા બોલી ઉઠે છે, આ નિષ્ફર અને નીચ માણસનો યુદ્ધમાં જરૂરથી પરાજય થશે. અંજના પોતાની સખીના મોઢે હાથ મૂકતા કહે છે, આ તું શું બોલે છે અંજના? એમનો પરાજય? તું એમના વિષે એક શબ્દ પણ બોલીશ નહીં. આ તો કોઈ મારો જ પાપોદય છે. આજે નગરમાં નાનામોટા બધા એમના ગુણગાન ગાઈ રહ્યા છે. એ તો કેટલા બધા મહાન છે. જયાં એંગલ બદલાય છે ત્યાં અથડામણો કદી થતી નથી. એક બેનને એની સખીએ પૂછયું, સાસરે ગયેલી તમારી દીકરી કેમ છે? બીજી વાર પૂછયું, તમારી વહુ કેમ છે? આ બન્ને સવાલોના જવાબ કેવા આવે? એંગલ બદલવાની ખૂબ જરૂર છે. અંજનાનો દૃષ્ટિકોણ કેટલો મહાન છે. પવનંજય યુદ્ધ કરવા માટે ઘણા આગળ નીકળી ગયા છે એની ખબર નથી પડતી. એક સમી સાંજે પવનંજય અને મિત્ર પ્રહસ્તિ બન્ને જણા બેઠા છે. ત્યાં બાજુમાં એક ચક્રવાકનું જોડલું જોયું. ચક્રવાકી ખૂબજ રડી રહી હતી. પવનંજયે એના મિત્રાને પૂછ્યું કે આ ચક્રવાકી કેમ રડી રહે છે? મિત્ર કહે છે ચક્રવાકી વિરહના દુઃખથી રડે છે. આ પક્ષી આખો દિવસ સાથે હોય અને સાંજ પડે ત્યારે બન્ને વિખૂટા પડે તેથી તે રડે છે. પવનંજય કહે છે માત્ર ૧૨ કલાકના વિયોગ માટે રડવાનું શું હોય? મિત્ર કહે છે કે આટલી પણ જુદાઈ ચક્રવાકી સહન કરી શકતી નથી. પવનંજય કહે છે આ ચક્રવાક તો બિલકુલ નિષ્ફર છે. એને તો રડવું પણ આવતું નથી. પ્રહસ્તિ કહે છે દોસ્ત તારી વાત સાચી છે. પવનંજય કહે છે એણે ચક્રવાકીને સાંત્વન તો આપવું જોઈએ ને? મારાથી આ ચક્રવાકીનું દુઃખ જોવાતું નથી. તું જઈને એકવાર એને સમજાવ! ભલે પણ દોસ્ત તને ખબર છે કયારેક કોઈના શબ્દો શણગારી શકે છે અને કયારેક એ જ શબ્દોથી કોઈના દિલને સળગાવી પણ શકાય = • ૧૦૩ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy