________________
એની કોઈ ગેરંટી નથી. જે લોકોએ મોહનીય કર્મના કારણે તોફાન મચાવ્યું છે એમને માફ કરો. મોહમાં ભાન ભૂલેલી વ્યક્તિ ક્ષમાને પાત્ર છે. કયારે પણ નફરત ન કરો. જિનભક્તિ જેટલી મહત્વની છે એનાથી વધુ મહત્ત્વની જીવમૈત્રી છે. જિનભક્તિ કર્યા પછી જીવભક્તિ (મૈત્રી) ન આવે તો આપણો મોક્ષ થવાનો નથી. કોઈપણ જીવની ચેષ્ટાઓ જોઈને દ્વેષ ન કરો. જિનાલયમાં બધા જ ભગવાનની પૂજા શક્ય નથી પરંતુ મૈત્રી તો વિશ્વમાત્રના જીવો સાથે શક્ય છે. આપણો દુનિયામાં કોઈ દુશ્મન હોઈ શકે પરંતુ આપણે કોઈના દુશ્મન ન હોઈ શકીએ. જૈનોના કોઈ દુશ્મન હોય પણ જૈન કોઈના દુશ્મન ન હોય. એક કવિએ લખ્યું છે કે “ગુલમાં કાંટા ચૂંટવાનું કામ કરશો મા, ચમનમાં ગુલનું જોખમ વધી જશે.” કાંટા પણ ફૂલ માટે ઉપકારી છે. આજે પ્રશંસકોથી જેટલા પડયા છે એટલા નિંદકોથી પતન નથી પામ્યા. આપણી વિરુદ્ધમાં કોઈ જાય તો વિચારજો એ મોહની મદિરા પીધેલ છે ને હું સમજેલ છું.
સૂરતમાં એક પતિ-પત્નિ એક મહાત્માને આવીને કહે સાહેબ! ઘર માટે જે કરવું પડે તે કરી છૂટીએ છતાં અમારી કોઈ ઘરમાં કદર કરતું નથી. મહાત્માએ બહેનને કહ્યું તમે તો સમજૂ છો માટે તમને કોઈ કહેતું નથી. જંગલમાં જતાં રામની આંખમાં આંસુ શા માટે? રામને વિચાર આવ્યો કે મારા પિતાએ પૂછવું પડ્યું કે તું વનવાસે જઈશ...આજ્ઞા જયાં કરાય ત્યાં કરવાની હોય. બેન! તમને પ્રશંસા કરાવવી હોય તો બળવો કરો. પેલા બેને કહ્યું મારી માતાના આ સંસ્કાર નથી. બેન! એટલું ધ્યાન રાખજો કે કોઈ પ્રસંગોમાં વાંક હોય તો આપણા કર્મોનો જ વાંક છે.
રંગુનના શ્રીમંત શ્રેષ્ઠીની કન્યાએ દીક્ષા લીધી. સંસ્કારોથી જીવન કેળવાયેલું હતું. ડબલ ગ્રેજ્યુએટ થયેલી એ કન્યા હતી. બધી જ રીતે તેજસ્વી એ બેને દીક્ષા લીધી. ગુરુજીએ પણ એને ખૂબ ભણાવી. વખત જતાં પૂર્વના કોઈક કર્મોદયે ગુરુને પોતાની આ શિષ્યા ઉપર અભાવ થઈ ગયો. એ પ્રગટ થયેલો અભાવ ત્યાં સુધી પહોંચ્યો કે એમની લાવેલી ગોચરી ન વાપરે. અમારા સંયમજીવનમાં અમારી લાવેલી ગોચરી કોઈ ન વાપરે તો અને તો તરત જ દુઃખ થઈ આવે. જે શિષ્ય પોતાના સંયમ પર્યાયના ૩૦-૩૫ વરસ પસાર કર્યા હોય એ શિષ્ય પણ ગુરુના ચરણમાં બાળક બનીને રહે અને ખરેખર એ જ શિષ્ય મહાન છે. આ ગુરુ મહારાજને પોતાની આ શિષ્યા ઉપર અભાવ વધતો જ ગયો. હવે તો અભાવની પણ હદ આવી ગઈ. ગુણી ગોચરી વાપરતા હોય એ ઓરડીમાં ભૂલથી પણ એ આવી જાય તો ગુરુણી પોતાના શિષ્યાઓને કહે કે હવે આ ગોચરી મારાથી નહીં
– • ૧૫૦ •