SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલ્પતી પસંદગીમાં થાપ ત ખવાય..... મોહ નામનું તત્ત્વ ભલભલા જ્ઞાનીઓને પણ મોહાંધ બનાવી સંસારની શેરીઓમાં નાટક કરતા કરી મૂકે છે. * * * * જેની વફાદારી એની તરફદારી એનુ નામ સમજદારી. આત્મા અને કર્મના સંપૂર્ણ છૂટાછેડા એનું નામ મોક્ષ. તું કાંઈ લઈને નથી આવ્યો, તું કાંઈ લઈને જવાનો નથી તો પછી મારું મારું કેમ કરે છે? સાધુ મહાત્મા અને સાધર્મિકને જોતાં આંખમાં પ્રેમ ઉભરાય ત્યારે સમજ્જો કે પૂર્વનો ઋણાનુબંધ છે. ભવાંતરની ધમાલથી બચવું હોય તો અશુભ ઋણાનુબંધ ન પડે તેનાથી સાવધાન રહેજો. ૫૨મોપકારી જિનશાસન પ્રભાવક સમર્થ મહાપુરુષ જ્ઞાનસાર નામના ગ્રંથમાં જણાવી રહ્યા છે કે આ જગતને આંધળુ કરનાર, આત્માને બગાડનાર, દેખે છતાં અંધાપો, જાણે છતાં અજાણ રાખનાર કોઈ હોય તો મોહ છે. સમજદારોને પણ છુટવા દેતો નથી. જીવને મોહી બનાવી નાના પ્રકારના ખેલો કરાવે છે. આ જીવ એમાં ફસાઈને જગતની શેરીઓમાં મોહની મદીરા પીને નાટક કરતો રહ્યો છે. અંતરમાં પેસી ગયેલો મોહ આત્મા ૫૨ રાજ ચલાવે છે. મોહરાજા અજ્ઞાની આત્મા પર પોતાના રીમોટ કંટ્રોલથી જીવને નચાવી રહ્યો છે. મોહના અહંકાર અને મમંકારના વાયરો આ જીવ સાથે જોડાઈ ગયા છે. માત્ર ડાયલ ઘુમાવવાથી કામ ન આવે સાથે લાઈન પણ કલીયર જોઈએ. મોહની સાથે વાયર જોડાયેલા હોવાથી નંબર તરત લાગી જાય છે. નિર્મોહીનો નંબર લાગતો નથી ‘હું નહીં ને મારું નહીં' એ મોક્ષના મંત્રો છે. આપણને જાવું કયાં છે? અને આપણે જપીએ છીએ કોને? ‘જેનું ખાય તેનું ગાય' આપણે તો પરમાત્માના શાસનમાં છીએ છતાં ગીતો તો મોહના જ ગાઈએ છીએ. ‘પ્રભુ તારું ગીત મારે ગાવું છે' તો માત્ર કહેવાનું, બાકી મોહના ગીતો ગવાય છે. પરમાત્માનો સાચો ભક્ત કોણ? ભક્ત માટે વફાદારી કોની? મોહની • ૧૩૨ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy