________________
જ પડશે. બેટા, મારા ઘરડા ઘડપણમાં તું શા માટે હેરાન કરે છે. પિતાજી, ભાગલા કર્યા વિના છૂટકો જ નથી. પિતાજી મોટા દીકરાઓને પોતાની પાસે બોલાવે છે. દીકરાઓ, તમારો નાનો ભાઈ માનતો નથી તો હવે શું કરવું? પિતાજી તમે કહી દો ભાગલા નહીં પડે. તને જેટલું જોઈતું હોય તે બધું તું લઈ લે. દીકરાઓ, પછી તમારે માટે શું? દીકરાઓ કહે છે કે કદાચ અમને ઘરમાંથી પહેરે લૂગડે બહાર કાઢશો તોય વાંધો નથી પણ આ ભાગલા કરવા તો કોઈ રીતે યોગ્ય નથી. નાનાભાઈનો પાવર જોરદાર હતો. હું કહું એ પ્રમાણે ભાગલા કરવા જ પડશે. નાનાભાઈને મોટા ભાઈઓ ફરી કહે છે ભાઈ તું સમજી જા. આ ભાગલાની વાતો બંધ કર. નાનો ભાઈ જિન્દ્ લઈને બેઠો છે. આખરે પંચ ભેગા થયા. હું જે પ્રમાણે ભાગલા પાડું તે પ્રમાણે તમને સ્વીકારવું પડશે. આ વાત પર સહીઓ પણ થઈ ગઈ. હવે કોઈ ફર્યું તો બાપાના સોગંદ છે. ભાગલાનું રહસ્ય જાણવા બધા જાગૃત હતા. નાનો ભાઈ પિતાજીને પૂછે છે મોટા ભાઈની ઉંમર કેટલી? પિતાજી કહે ૪૧ વર્ષ. વચલા ભાઈને ઉંમર ૩૫ વર્ષ અને મારી ઉંમર ૨૪ વર્ષ છે. હવે સાંભળો મારો ચૂકાદો. મોટાભાઈને ૪૧ લાખ મળવા જોઈએ. વચલા ભાઈને ૩૫ લાખ અને મને ૨૪ લાખ રૂ। મળવા જોઈએ. પંચના માણસો વિચાર કરે છે કે ભાગલા પાડવાની હઠે ચડેલા ભાઈએ ભાગ શું વેચ્યો? ભાગની ઈચ્છા ધરાવતો વ્યક્તિ પ્રથમ પેટ પોતાનું ભરે. આવો ભાગ વહેંચવા પાછળનું રહસ્ય શું? ભાગલાની વાત કરી નાનો ભાઈ સીધો પિતાજીના પગમાં પડી ગયો. ભાગલા કરવા પાછળનું કારણ શું હતું તે સાંભળો. નાના ભાઈની આંખમાંથી પાણી સરી પડ્યું. પિતાજી, મારે કોઈ ભાગ નથી જોઈતો પરંતુ આ ભાગલાની વાત આવતી પેઢીને તટસ્થ રાખે. હવે આપણા દીકરાઓ પણ ભાગ પાડશે તો આ રીતે જ પાડશે. મોટા ભાઈ મને માફ કરો. પિતાજી સહિત ત્રણે ભાઈઓ રડી પડ્યા. નાના ભાઈની ઉદારતા અને મહાનતાનું દર્શન કરો. અહં અને મમ જાય છે ત્યારે જ આવા ભાવો પ્રગટે છે. જીવનમાં અધ્યાત્મના પુષ્પો ખીલવવા માટે મોહનું આધિપત્ય ઘટાડતા જાઓ.
એકવાર આનંદધનજી વ્યાખ્યાન કરવા બેઠ”. નગરશેઠ જરા મોડા પડ્યા. વ્યાખ્યાન ચાલુ થઈ ગયેલું જોઈને આનંદધનજીને કહે વ્યાખ્યાન કેમ ચાલું કર્યું. હું આવી જાઉં પછી જ ચાલુ કરવાનું તમે આમ વ્યાખ્યાન ચાલુ કરી દો તે ન ચાલે. અમારું તો તમારે સાંભળવું પડે. આનંદધનજી મહારાજ કહે અમને શ્રવકોનું સાંભળવાનું? એ ન ચાલે. નગરશેઠ કહે અમે તમને
• ૧૨૨