SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય ૪. અનંત ચારિત્ર : મોહનીય કર્મનો ક્ષય મળી બાર ગુણો શ્રી અરિહંત ભગવાનના થયા. થવાથી અનંત ચારિત્ર ગુણ પ્રાપ્ત થાય છે. તેમાં • સિદ્ધ ભગવાન અને તેમના આઠ ગુણો છે સાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રનો આઠ કર્મનો ક્ષય કરી જેમણે અંતિમ સાધ્ય એવં સમાવેશ થાય છે, તેથી સિદ્ધ ભગવાન આત્મજે મોક્ષપદ સાધ્યું છે, તે સિદ્ધ.' સ્વભાવમાં સદા સ્થિર છે, તે જ ત્યાં ચારિત્ર છે. તેમના આઠ ગુણ આ પ્રમાણે છે : ૫. અક્ષય સ્થિતિ : આયુષ્ય કર્મનો ક્ષય થવાથી કદી નાશ ન થાય તેવી સ્થિતિ પ્રાપ્ત થાય ૧. અનંત જ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી અંત વિનાનું કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિનો આદિ છે, પણ અંત નથી. તેથી તેમની સ્થિતિ “સાદિ છતાં અનંત’ કહેવાય છે. તેનાથી સર્વ લોકાલોકનું સ્વરૂપ સમસ્ત | પ્રકારે જાણે છે. ૨. અનંત દર્શનઃ દર્શનાવરણીય કર્મનો સર્વથા ૬. અરૂપીપણું નામ કર્મનો ક્ષય થવાથી વર્ણ, ક્ષય થવાથી અંતવિનાનું કેવળદર્શન પ્રાપ્ત થાય ગંધ, રસ અને સ્પર્શ રહિત થાય છે. કેમ કે, શરીર છે. તેનાથી લોકાલોકનું સ્વરૂપ જુએ છે. હોય તો જ વર્ણાદિક હોય છે; પણ સિદ્ધને શરીર ૩. અવ્યાબાધ : વેદનીય કર્મનો સર્વથા ક્ષય નથી તેથી તેમને અરૂપીપણું પ્રાપ્ત થાય છે. થવાથી સર્વ પ્રકારની પીડા રહિત નિરુપાધીપણું ૭. અગુરુલઘુ : ગોત્ર કર્મનો ક્ષય થવાથી આ પ્રાપ્ત થાય છે. ગુણ પ્રાપ્ત થાય છે; તેથી ભારે, હળવો કે વરસાદનો અભાવ થાય નહિ, ૧૧. દુર્ભિક્ષ એટલે દુષ્કાળ ન પડે, ૧૨. સ્વચક્ર એટલે પોતાના રાજ્ય તરફથી, પરચક્ર એટલે પરરાજ્ય તરફથી ભય ન હોય, ૧૩. ભગવંતની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચ પોતપોતાની ભાષામાં સમજે, ૧૪. એક યોજન સુધી સરખી રીતે ભગવંતની વાણી સંભળાય, ૧૫. સૂર્યથી બાર ગણું તેજવાળું ભામંડળ પ્રભુની પાછળ મસ્તક પાસે હોય. (આ પાંચથી પંદર સુધીના ૧૧ અતિશયો કેવળજ્ઞાન વખતે થાય, તેથી તે કર્મક્ષયજ અતિશય” કહેવાય ૬ થી ૧૨ સુઘીના ૭ રોગાદિ ઉપદ્રવો ભગવાન વિહાર કરે, ત્યારે પણ ચારે દિશાએ પચીસ પચીસ યોજન સુધી ન હોય). ૧૬. આકાશમાં ધર્મચક્ર હોય. ૧૭. બાર જોડી (ચોવીસ) ચામર અણવિંઝયાં વિંઝાય. ૧૮. પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજ્જવળ સિંહાસન હોય. ૧૯, ત્રણ છત્ર (સમવસરણ વખતે દરેક દિશાએ) હોય. ૨૦. રત્નમય ઇંદ્રધ્વજ હોય. ૨૧. નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. બે ઉપર પગ મૂકે અને સાત પાછળ રહે. તેમાંથી વારાફરતી બે બે આગળ આવે. ૨૨. મણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢ હોય. ૨૩. ચાર મુખે કરી ધર્મદશના આપે છે એમ દેખાય. (પૂર્વ દિશા સામે ભગવંત બેસે. બાકીની ત્રણ દિશાએ ત્રણ પ્રતિબિંબ વ્યંતરદેવ સ્થાપે.) ૨૪. સ્વશરીરથી બાર ગણું ઊંચું અશોક વૃક્ષ, છત્ર, ઘંટા, પતાકા આદિથી યુક્ત હોય. ૨૫. કાંટા અધોમુખ એટલે અવળા થઈ જાય. ૨૬. ચાલતી વખતે સર્વ વૃક્ષો નમી પ્રણામ કરે. ૨૭. ચાલતી વખતે આકાશમાં દુંદુભિ વાગે. ૨૮, યોજન સુધીમાં અનુકૂળ વાયુ હોય. ૨૯, મોર વગેરે સારાં પક્ષીઓ પ્રદક્ષિણા કરતાં ફરે. ૩૦. સુગંધી જળની વૃષ્ટિ થાય. ૩૧. જળ-સ્થળમાં ઉપજેલાં પાંચ વર્ણવાળાં સચિત ફૂલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય. ૩૨. કેશ, રોમ, દાઢી, મૂછના વાળ અને નખ દીક્ષા લીધા પછી વધે નહિ. ૩૩. સર્વ ઋતુઓ અનુકૂળ રહે. ૩૪. જધન્યથી કોટી દેવતાનો પરિવાર હોય. (આ છેલ્લા ૧૬ થી ૩૪ સુધીના ૧૯ અતિશયો દેવતાઓ કરે છે, તેથી તે “દેવકૃત અતિશય' કહેવાય છે). ૧. આ.નિ.માં આ પ્રમાણે નિર્દેશ છે : नित्थि (च्छि)न्न सव्वदुक्खा, जाई जरा मरण बंध विमुक्का। अव्वाबाहं सुक्खं, अणुहवंति सासयं सिद्धा ।। ९८८।। અર્થ : સર્વ દુઃખોને સર્વથા તરી ગયેલા અને જન્મ, જરા તથા મરણનાં બંધનથી મુક્ત થયેલા સિદ્ધો શાશ્વત અને અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. એટલે કે જેમણે મોક્ષની પ્રાપ્તિ કરેલી છે, તેઓ “સિદ્ધ' કહેવાય છે. ——— — — — ૨૩.
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy