________________
અણગારનાં અજવાળા ]
[ ૨૨૭
શહેરમાં દહેરાવાસી માતપિતાને ત્યાં ચોક્સી કુટુંબમાં થયો હતો. તેમના પૂ. પિતાશ્રી શાળામાં હેડમાસ્ટરની પદવી ઉપર હતા.
પહેલાંનો સમય એવો હતો કે કંગલીથી રમતી ઢીંગલી જેવડી દીકરીને નાની વયમાં પરણાવી દેવામાં આવતી. પાર્વતીબહેનને પણ તે જ રીતે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સાણંદના સ્થાનકવાસી કુટુંબમાં પરણાવી દેવામાં આવ્યાં. સંસારને જે સમજવાની તેમની ઉંમર ન હતી ત્યાં ચૌદમા વર્ષની ઉંમરે તેમનો ચાંદલો ભૂંસાયો. પતિ જતાં પાર્વતીબહેનના જીવનમાં અમાસનો અંધકાર છવાયો. પાર્વતીબહેન જીવનની દશા બદલાતાં તેમણે પોતાની જીવન-નાવની દિશા બદલી. પોતે પોતાના જીવનની સફરમાં પોતે જ નાવિક બન્યાં.
તેમને સમજાઈ ગયું કે સંસારમાં દુઃખ તો સાર્વત્રિક ઘટના છે. જ્યારે સુખ કેવળ છાયા જેવું છે. પોતે સમજી ગયા કે
'अप्पा कत्ता विकत्ताय पहाण य सुहाण य ।'
જો અશુભ પાપપ્રવૃત્તિઓ દ્વારા આપણે પોતે જ આપણી વર્તમાન વિપત્તિઓનું-દુઃખોનું નિર્માણ કર્યું છે તો એને ધીરતાથી, સમતાથી સહી લઈને ઝીલી લેવાનું કાર્ય આપણે જ કરવાનું છે. પાર્વતીબહેન સંસારની ભયાનકતાને સમજી ગયાં. તેથી તેમાં રહેવાને બદલે કેમ પોતે આત્મસાધના કરીને પોતાનું જીવન સફળ ન કરી લે! તેમના જીવનમાં સમજણનો એક દીવડો પ્રગટી ગયો. સુખનો સ્વીકાર અને દુઃખનો પણ. તેવી રીતે જીવનનો સમગ્રતયા આનંદપૂર્વકનો સ્વીકાર કરવો તેમજ સમર્પણ કરવું. સંતો પણ શુભ અને અશુભ કર્મો, કષ્ટો, ઉપસર્ગોને પોતાના માર્ગમાં સહાયક માની સંયમ માર્ગે ચાલ્યા છે તેથી જ તેઓ સદા સત, ચિત અને આનંદમાં રહી શકે છે તે રીતે પોતાના જીવનમાં પોતાના આત્માને જગાડવાની આ અણમોલ ઘડી આવી છે તેમ સમજી તેઓ દિવસે દિવસે જ્ઞાન, ધ્યાન અને સંયમ તરફની પ્રવૃત્તિ તરફ આગળ વધવા લાગ્યાં અને સંયમ લેવાની ભાવના બળવત્તર થતાં તેમણે તેમના પૂ. પિતાશ્રીને આ વાત જણાવી પણ પિતા સમજ્યા નહીં અને દીકરીની સંયમ પ્રત્યેની મક્કમતા નિહાળી ત્યારે પ્રવ્રજ્યા માટેની રજા દીકરીને આપી પણ દહેરાવાસીમાં દીક્ષા લેવી પડશે તેમ ઇચ્છા જણાવી ત્યારે પાર્વતીબહેનને તો સ્થાનકવાસીમાં જ દીક્ષા લેવી હતી તે મક્કમ