________________
અણગારનાં અજવાળા ]
[ ૧૨૯
શાળામાં જતાં ચોથે દિવસે એમના ગાલ ઉપર શિક્ષકનો તમાચો પડતાં શાળા છોડી એ છોડી પછી ફરી પગ ન મૂક્યો. સમય જતાં તેમની વાણીમાં વિરક્તતા અને આચારમાં અનુકંપા આવતી ગઈ. એ સંયમ લેશે એવી જ સંતવાણીની ભવિષ્યવાણી હતી અને એ સાચી પડશે તો! એ બીકે બાર વર્ષની ઉંમરે તેને માતાપિતાએ સાસરે વળાવી દીધી, પણ તેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું અને લગ્નને પાંચમે દિવસે પિયર પાછી આવી. ત્યાં જીવનના પથ ઉપર પગલી માંડતાં જૈનધર્મ પૂરીબહેનનો તેમને સંગાથ સાંપડ્યો તેનાથી ધનબહેન પ્રભાવિત થવાં માંડ્યાં.
વળી આત્માનું ઉપાદાન જાગે છે ત્યારે નિમિત્ત સામે ચાલીને આવે છે. તેને કોણ રોકી શકે છે? ગોંડલ સંપ્રદાયનાં સર્વશ્રી પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ., મણિબાઈ, સંતોકબાઈ, હીરુબાઈ, માનકુંવરબાઈ મ.સ. એ પાંચ મ.સ.ઓએ ચેલાગામની ધરતીને ચાતુર્માસ અર્થે પાવન કર્યું. તેમનાં વ્યાખ્યાન અને દર્શનાર્થે ધનબહેન રોજ ઉપાશ્રય જતાં થયાં અને જેમ જેમ સંતવાણી તેમના હૃદયને સ્પર્શતી ગઈ તેમ તેમ દીક્ષા લેવાના ભાવો થતા ગયા અને દૃઢ થતા ગયા પૂ. સતીજીઓએ કસોટી કરી અને તેમાંથી પાર ઊતર્યા.
सुइं च लदधुं सदधं च वीरीयं पुण दुललहं ।
ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધા મેળવ્યાં છતાં ધર્મમાં પરાક્રમ કરવું અત્યંત દુર્લભ છે.
પણ હજી કસોટીઓ બાકી હતી. ધનબહેન જો જૈનધર્મમાં દીક્ષા લેશે તો પરબતભાઈને નાતબહાર મૂકીશું તેવી જ્ઞાતિજનોએ ધમકી આપી, તેથી કરીને પિતાએ પણ તેમને સાસરે સમાચાર મોકલ્યા કે તમે ધનને આણુ તેડી જાવ. એટલે હવે શ્વસુરપક્ષને જાણ થતાં તેમના તરફથી અંતરાયો વધવા માંડ્યા. સૂરા અને સુંદરીમાં ચકચૂર રહેતા એવા ક્ષત્રિયના પંજામાંથી છૂટવું તે સિંહનાં પંજામાંથી છૂટવા બરાબર હતું, પણ ધનબહેન તેમના વિચારોમાં અડીખમ હતા. તેથી તેમાંથી છટકવા તેમણે ગામની બહાર આવેલા એક કૂવાની બખોલમાં છુપાઈ ગયા. ચોમેર તપાસ કરતાં તેમના વડીલ બંધુ રામસંગભાઈને ત્રણ દિવસે કૂવામાંથી તેમની ભાળ મળી. ધનબહેનને