________________
પ્રસ્તુત પુસ્તક તપનું પ્રેરક અને તપસ્વીઓને પથદર્શક બની રહે તેવી અભીપ્સા સહ ગુરુ ભગવંતો અને પરમ ઉપકારી જીનેશ્વર દેવોને વંદના કરી વિરમું છું !
પુસ્તકમાં જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં.
ફેબ્રુ . ૧૯૯૨
દ્વીતીય આવૃત્તિ પ્રસંગે
વર્ષીતપની આરાધના દરમ્યાન ‘તપાધિરાજ વર્ષીતપ’પુસ્તકના લેખન -સંપાદન કરવાની પ્રેરણા થઈ.સન્ ૧૯૯૨ માં જૈનાચાર્ય પૂ. ડુંગરસિંહજી મહારાજની દ્વીશતાબ્દીના પરિપ્રેક્ષમાં સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુના શિષ્યરત્ન તપસમ્રાટ પૂ.રતિલાલજી મહારાજ આદી ઠાણાની પાવન નિશ્રામાં ઘાટકોપરમાં સમૂહ વર્ષીતપ પારણા મહોત્સવ પ્રસંગે પ્રથમ આવૃત્તિ પ્રગટ થયેલ.
- ગુણવંત બરવાળિયા
આજે પુનઃ સમુહ વર્ષીતપ પારણા મહોત્સવ પ્રસંગે‘તપાધિરાજ વર્ષીતપની' દ્વીતીય આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે ,તે આનંદનો અવસર છે. આર્શીવચન લખી આપવા બદલ પૂ.મુનિશ્રી પ્રકાશચંદ્રજી તથા વિશિષ્ટ સહયોગ બદલ પ્રકાશક શ્રી વિરમ રીટા તથા રામજીભાઈ શાહનો આભાર
સુંદર મુદ્રણ કાર્ય બદલ સસ્તું પુસ્તક ભંડાર –અમદાવાદના શ્રી વિજયભાઈ મહેતાનો આભાર.
ઘાટકોપર
તા. ૧૪/૪/૨૦૦૩ મહાવીર જયંતી
તપાધિરાજ વર્ષીતપ
―
– ગુણવંત બરવાળિયા
(VIII)