________________
- ઉપયોગિતા.
૨૯.
સંસ્કૃત રામચરિત( ભટ્ટિકાવ્ય)માં ૧૩ મા સગને સમસંસ્કૃત પ્રાકૃતથી ભાવ્યું છે. - કવિ રાજશેખર કાવ્યમીમાંસા(પૃ. ૫૪ )માં સૂચવે છે કે–“કવિ રાજા, કવિઓની પરીક્ષા માટે સભા કરે, તેમાં પ્રાકૃતકવિઓને પૂર્વ તરફ આસન આપે ” વિગેરે.
એ ઉપરથી સમજી શકાય તેમ છે કે પ્રાચીન અનેક રાજામહારાજાઓ પ્રાકૃતભાષાની ઉપયોગિતા સારી રીતે સમજતા હતા અને તેને પ્રચાર કરવા અનેક પ્રકારે પ્રયત્ન પણ કરતા હતા. પૂર્વજોની કીતિને દીપાવનારા વર્તમાન રાજવીઓ પાસેથી તેવા તુત્ય પ્રયત્નોની આશા આપણે કેમ ન રાખી શકીએ ? યાયાવરીય કવિ રાજશેખરે બલરામાયણમાં પ્રાકૃતપ્રમુખ
વાણીને પ્રકૃતિમધુર' તરીકે વર્ણવી છે, લાટદેશના લકે- તેમજ પ્રાકૃત વચન સંબંધમાં પ્રાસંગિક
નો પ્રાકૃત તરફ ઉચ્ચાર્યું છે કે –“જે, ખરેખર સંસ્કૃતની - પ્રેમ. યોનિ છે-ઉત્પત્તિનું સ્થાન છે, જે સુંદર
નયનવાળી સુંદરીઓની જીભેમાં અમેદ પામે છે–ભે છે, જે, કાનના માર્ગે આવતાં [ અન્ય ] ભાષાક્ષરને રસ કટુ-કડ લાગે છે, અને ચૂર્ણ જેવાં પદેવાળું ગધ, રતિપતિ(કામદેવ)ના પદપગલાં જેવું છે, તે પ્રાકૃત વચન જેમનું છે, તે લાટનેલાટદેશ( ભરુચ, વડેદરા તરફને પ્રદેશ )ના લોકોને, લલિત અંગેવાની હે સુંદરિ! દષ્ટિના નિમેષવ્રતને દૂર કરતી (આંખના | ૧ “ વિરઃ અધ્યા વિવ્યા પ્રતિમધુરા કાજીપુરઃ”