________________
સમાધાન
૧૭૫ શ્રીભગવતીજીમાં પણ કાંક્ષાદિને સ્થાને “તમેવ સર્વ ને ધારવાથી કાંક્ષામહનીય નથી વેદાતું એમ જણાવ્યું છે. અજ્ઞાનથી પણ અસદ્ભાવપદાર્થને માનતાં શ્રીઉત્તરાધ્યયનમી વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે સાચી શ્રદ્ધાને ઉપઘાત થાય છે એમ છે અને કર્મપ્રકૃતિની ટીકા (યશ૦) પ્રમાણે ઉપઘાત ન માનીએ તો પણ અસદ્ભાવથી થતી શંકામાં પણ કાંક્ષામોહનીય તે માનવું જ જોઈએ.
પ્રશ્ન ૧૦૬૪–શ્રીપર્યુષણાક૫માં તહેલું વા' ઈત્યાદિ કહીને નીચકુલે બતાવ્યા પછી મોઢળવા” એ કહેવાની શી જરૂર હતી ?
સમાધાન-અ તપ્રાંતાદિક કુલ જગત માત્રની અપેક્ષાએ નીચકુલરૂપ છે અને બ્રાહ્મણકુલ જગતમાત્રની અપેક્ષાએ નીચકુલ નથી, પરંતુ માત્ર તીર્થંકરભગવાન આદિ શલાકા પુરૂષની અપેક્ષાએ જ એ નીચકુલ છે. માટે મારા વા' એ પદ જુદું કહેવાની જરૂર રહે અને આવી અપેક્ષાથી તે પદ હોવાથી જ અગીયારે ગણધરે બ્રાહ્મણકુલમાં જન્મેલા હોવા છતાં તેમને “રા' એટલે ઉત્તમ જાતિવાળા એમ કહી શકાય તથા “ઝાપને કાંપને” વિગેરે પદેથી તેઓને ઉત્તમજાતિવાળા અને ઉત્તમકુલવાળા જણાવ્યા છે. તે પણ યોગ્ય જ છે. વળી મરીચિએ તીર્થકર અને ચક્રવર્તીની ઉત્પત્તિને લીધે કુલમદ કરેલ હેવાથી તીર્થકર આદિને લાયકનું કુલ ન મળે તેવું જે નીચગેત્ર એટલે આપેક્ષિક નીચગોત્ર બાંધ્યું કહેવાય. કુલઆર્યાદિ ભેદ પણ બાતીર્થકર આદિની અપેક્ષાએજ લેવાય તો વધારે અનુકૂલ ગણાય.
પ્રશ્ન ૧૦૬૫– પૂજાની અંદર જીવોની વિરાધના હેવાથી પૂજાને સાવદ્ય કહેવાય કે નહિં. ?
સમાધાન-પૂજાની અંદર આરંભ થાય છે એમ ખરું, પણ પૂજાને સાવદ્ય ન ગણાય કારણ કે તે પૂજામાં થતી વિરાધના સ્વરૂપહિંસારૂપ છે અને તે સ્વરૂપહિંસાથી બંધાયેલ કર્મ તત્કાલજ તેજ પૂજાના અધ્યવસાયથી નાશ પામે છે. જે એમ ન હોય તે નદીને ઉતરનાર સાધુનું