________________
સુરતના ગુરૂમંદિરના અપૂર્વાદ
અને ભવ્ય–પ્રતિમા
શ્રીઆગોદ્ધારક-ગુરૂમંદિર આ મંદિર આગમારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મના સ્મરણચિદરૂપે બંધાવવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય આગમદારક આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૫ ને શનિવારના દિવસે સુરત મણે ગોપીપુરાના માળીફળિયામાં આવેલી શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાનાં ઉપાશ્રયમાં) નિર્વાણ પામ્યા હતા. તેમના દેહને અગ્નિ સંસ્કાર શ્રી આગદ્ધાક સંસ્થાની માલિકીની, શહેરની વચમાં આવેલી જગ્યા ઉપર સરકારી સ્પેશિયલ (ખાસ) પરવાનગીથી કરવામાં આવ્યો હતો તે જ આ જગ્યા ઉપર શ્રીઆગમેદ્ધારક-ગુરૂમંદિર બાંધી વિ. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને શુક્રવારના દિવસે પૂ૦ આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મની પ્રતિમાજીની પ્રતિષ્ઠા તેમના અનન્ય–પટ્ટધર આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજી મના વરદ હસ્તે કરાવવામાં આવી છે. - આ ગુરૂમંદિર બાંધવામાં કુલ ખર્ચ લગભગ અડ્યાસી હજાર રૂપિયાનો થયો છે.
રંગમંડપમાં પ્રવેશદ્વારની ઉપર ધ્યાનસ્થ ગુરૂદેવનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. તે ચિત્ર આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. નિર્વાણ પહેલાં પંદર દિવસ આગળથી કાઉસગ્નમુદ્રાએ ધ્યાનમાં રહેલા તેનું છે. તેઓ તે દરમિયાન અઢેલતા પણ ન હતા અને સતા પણ ન હતા. જે સ્થિતિમાં ધ્યાનમાં રહ્યા હતા તેને આબેડૂબ આ તૈલચિત્ર છે