SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૦) પ્રશ્ન ૩૦૮——ક્ષાયિકસમ્યક્ત્વવાળાજ જધન્યથી કેટલે ભવે મેક્ષ જાય ? સમાધાન—ગુણસ્થાનક્રમારહ' ગ્રંથમાં પણ લખે છે કે જધન્યથી ક્ષાયિકસમ્યક્ત્વવાળા તે ભવે મેક્ષે જાય ને ઉત્કૃષ્ટથી જુગલિયામાં જાય તા ચેાથે ભવે, તે દેવગતી કે નરકમાં જાય તે ત્રીજે ભવે મેક્ષમાં જાય. પ્રશ્ન ૩૦૮અખિલ વિશ્વના લાકા મરણુથી ડરે છે એ કહેવત સાચી છે? સમાધાન—દુનીઆના તમામ લેકે મરણથી ડરે જ છે એ વાત પ્રાય: સાચી છે, અને પાયા વગરની પણ છે. કારણ કે એક મરણુથી બચવા માટે મરણને ડર ચાલુ છે. અને અનેક પ્રકારનાં આર ંભ, સમારંભ સાચાં, જુઠાં, ચેરી વિગેરે બધા પાપોથી અનત મરણુ કરવાં પડે છે. તેવાં કારણા કમર કસીને કર્યે જાય છે. તેથી મરણના ડર નામમાત્ર છે. એ મરણુ વધુ કરવાની વાતની ખબર જ નહિ હોય. પણ જો કાઈ સમજાવે તે પણ કાન આડા હાથ દે અને સમજેલા મરણની પરંપરા વધે તેવી કાવાહી ધપાગ્યે જ જાય છે, તેથી એક મરણુને માટે અનન્તા મરણને એકઠા કરનારા દુનિયાના લેાકેા મરણુથી ડરે છે. એ કહેવત નામમાત્રથી અંગીકૃત કરેલી છે. તત્ત્વથી વર્તમાન ભવનાજ મરણથી ડરે છે. પ્રશ્ન ૩૧૦-જગતના જીવાએ મરણની બાબતમાં “ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા” મૂક્યા છે તે કેવી રીતે ? સમાધાન—એ કથન પણ અહિજ લાગુ થાય છે. એક ભત્રના મરણુથી બચવા માટે અનેક પ્રકારનાં સાધના અને તૈયારીઓ લેકાથી રખાય, જ્યારે ભાવિનાં અનન્ત મરણેાથી બચવા માટે શું કરવું એને સ્વપ્નમાંયે વિચાર સરખા પણ ન થાય, તે ત્યાં ‘ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવું નહિ તો બીજું શું?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy