________________
*
વાળા ગણત્રીના માણસે સિવાયની મોટાભાગની ભેળી જનતા સત્ય-તત્વના નિર્ણયની દિશા તરફ પૂજ્યશ્રીના સચોટ તક અને શાસ્ત્રપાઠથી વળવા માંડી.
પરિણામે પધિરાજ પર્યુષણ મહાપર્વના ત્રણ અઠવાડિયા અગાઉ સેંકડોની સંખ્યામાં સ્થાનક-માગી એ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા.
પછી મુહપત્તી બાંધવાની બાબત, ધવણના પાણીની વાત, વાસી-વિદળની અભક્ષ્યતા, “પાળે પડયું તે સાધુને ખપે. 'ની વાતને થતે દુરૂપયેગ આદિ બાબત પર જોરદાર સાટે દલીલે દ્વારા પ્રકાશ પાથર્યો અને ઘણું સ્થાનકે માગીઓ પૂજ્યશ્રીની સમજાવટ-શૈલિથી મિથ્યાત્વને ત્યાગ કરી પ્રભુશાસનની મર્યાદામાં આવવા ઉજમાળ બન્યા.
પર્વાધિરાજ શ્રી પજુસણ-પર્વની આરાધના ટાણે ઉદયપુર શ્રીસંઘમાં અનેરી જાગૃતિ આવી, કેમકે નવા જોડાયેલા સ્થાનકમાગ–કુટુંબના ચઢતા ભાવોલ્લાસથી શ્રીસંઘમાં આરાધનાને ઉલ્લાસ પ્રબલ રહ્યો.
ચૌસઠ-પ્રહરી પૌષધ, અઠ્ઠાઈની તપસ્યા શ્રી કલપસત્રના રાત્રિ-જાગરણ અને વહેરાવવા ચડાવા તેએજ સ્વપ્ન ઉતારવા આદિન ઉગમણીએ ભાવ થી પામી,