SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ જિનેશ્વરદેવના જિનાલય અને જનતરના મંદિરે આ નગરની ધર્મભાવનાની સાક્ષી આપી રહ્યા છે. દય અને દાન આ નગરના વિશિષ્ટ ગુણો છે. નગરની નારીઓ શીલ અને સદાચારને વરેલી હતી. એમનામાં રૂપસૌંદર્ય હતું પણ ઉશૃંખલતા ન હતી. વીતરાગ પરમાત્માના શાસનને વરેલા ભર્યા પાથર્યા અનેક શ્રાદ્ધ વણિક કુટુંબે આ નગરની વિશિષ્ટ શોભા અને પ્રતિષ્ઠામાં અગ્રણી હતા. એ સૌમાં શ્રેષ્ઠિવર્ય મગનભાઈનું નામ સન્માનપાત્ર હતું. અને લક્ષ્મીનું વિશ્રામગૃહ હતું. શ્રેષ્ઠિવર્યશ્રી મગનભાઇની સુપત્ની “યમુના” હતી. યમુના એટલે યમુના, ત્રિવેણી–સંગમની યમુના નદી અનેકને શાંતિ અને તૃપ્તિ આપે છે. તેમાં આ યમુના અનેક સંતપ્ત અને અતૃપ્ત હૃદયને શાંતિ અને તૃપ્તિ આપનારી આર્ય મહાસન્નારી હતી. ' ગોલકુંડાની ખાણને કેહીનૂર-રનની ભેટ જગતને આપવાનું સૌભાગ્ય મલ્યું હતું તેમ રત્નકુક્ષી આ યમુનાને હે ભગવન્! અહિં ક્ષત્રિયકુંડનગરમાં તમારે જન્મ જ સર્વ સુરે અને અસુરેને આકર્ષે છે. તે તમારે જન્મ આશ્ચર્યકારી કેમ નહિં ? લેહચુંબક વિગેરેનું આકર્ષણ અમુક દેશમાં–સ્થાનમાં રહેલા લેઢાને આકર્ષે છે. એટલે તે નજીકની અપ્રાપ્યની પ્રાપ્તિ છે. પરંતુ આ તમારી અપ્રાપ્યની પ્રાપ્તિ-દૂર દેવલેકમાં દેવતાઓને પણ આકર્ષે છે, તે કેવા પ્રકારની ?
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy