SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ કપૂર મહેક-૭ સવૈયા-એકત્રીશા સરવથા જીવહિંસા ત્યાગકો બિરત ગહિ, નદીમાં ઉતરતા વિરાધક ન જાણીએ; નારીકો સંઘટ્ટો નાહિ કરે તો હિ સાધવીકું, પાણીમાંહિ બૂડતાં જો બાંહે ગ્રહી તાણીએ; કારણ વિશેષ ભેખ ત્યાગે તો હું મુનિરાજ, અંગ ત્રીજે તાડુંકું આરાધક વખાણીએ; આણાહુમેં દયા દયા નાંહિ ઓર ઠોર કહું ઐસો જાણ પ્યારે જ્યું કુમત નાંહિ ઠાણીએ. ૧૪ દેવ જિનરાજ કેરી, છબી જિનરાય સમ, રાયપસેણીમાંહિ જ્યું પ્રગટ બતાઈ હૈ; ભગવતીમાંહિ જિનચૈત્યકી શરણ કહી, કેતાઈક અધિકાર કેવેકું ઉવવાઈ હૈ; સવૈયા-એકત્રીશા-અર્થ જેમણે સર્વથા જીવહિંસાના ત્યાગનું વ્રત ગ્રહણ કરેલ છે, તેવા સાધુ-સાધ્વીને નદી ઉતરતાં તે વ્રતના વિરાધક ન જાણવા. સાધુ સ્ત્રીનો સંઘટ્ટો (સ્પર્શ) ન કરે, છતાં પાણીમાં બૂડતાં સાધ્વીને હાથે પકડીને તાણે-બહાર કાઢે, કોઈ તથાવિધ શાસનરક્ષાદિકના કારણે મુનિરાજ વેષનો ત્યાગ કરે, તો પણ તેને ત્રીજા અંગમાં (ઠાણાંગસૂત્રમાં) આરાધક કહેલ છે. જિનેશ્વરની આજ્ઞામાં જ દયા છે, બીજા સ્થાને દયા નથી. આ રીતે જાણીને હે પ્યારા આત્મા ! કુમતની સ્થાપના ન કરીએ. ૧૪ ‘શ્રીરાયપસેણીસૂત્રમાં શ્રી જિનેશ્વરની પ્રતિમાને જિનેશ્વર સમાન પ્રગટપણે બતાવેલ છે, શ્રીભગવતીસૂત્રમાં શ્રી જિનચૈત્યનું શરણ કહેલ છે, શ્રીઔપપાતિકસૂત્રમાં પણ કટેલાક જિનપ્રતિમા સંબંધી અધિકારો કહ્યા છે, શ્રીજીવાજીવાભિગમસૂત્રમાં
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy