________________
લાભાર્થી || Labharthi....
•
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
-
રવિ
તે
રીત
જિનશાસનશણગાર પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્રસમારાધક પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.
પ.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો ગુરુગુણાનુરાગી ભક્ત પરિવાર Comogenemocare conference pour le corps eigenen
પંડિતવર્ય શ્રી કપૂરચંદભાઈ પંડિતવર્ય શ્રી કપૂરચંદભાઈ ‘શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામહેસાણા'માં દ્રવ્યાનુયોગ, સંસ્કૃત, પ્રાકૃત આદિનો અભ્યાસ કરી મહેસાણા સંસ્થા સંચાલિત શ્રી સૂક્ષ્મતત્ત્વબોધ જૈન પાઠશાળા-પાલિતાણામાં અધ્યાપક તરીકે વિ.સં. ૨૦00 થી વિ.સં. ૨૦૪૯ સુધી રહ્યા.
વિશેષત : પૂ. સાધુ ભગવંતો, પૂ. સાધ્વીજી મ.સાહેબો તથા મુમુક્ષુઓને પાંચથી છ કલાક વિવિધ ગ્રન્થોનો અભ્યાસ કરાવતા.
- પંડિતશ્રીનો ક્ષયોપશમ ઘણો સારો હતો, અનુભવ પણ ગજબનો હતો. ભણાવવા સિવાયના સમયમાં પ્રુફસંશોધન, પ્રાચીન સ્તવનો, સઝાયો, સ્તુતિઓ, પદો વગેરેના અર્થ તથા કર્મસાહિત્ય સંબંધમાં લખાણ કરી ઘણી સંખ્યામાં નોટબુકો તૈયાર કરી હતી. તેમની પાસેથી પૂ.આ.ભ. શ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબને જે નોટો મળી તે કપૂર સુવાસ, કર્પર સુગંધ, કર્પર પરાગ આદિ આઠ વિભાગમાં સંકલિત કરી પુસ્તકરૂપે પૂ.આ.ભ. શ્રીના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ છે.
મહેસાણા સંસ્થા તરફથી શ્રી શત્રુંજયમહાતીર્થ-પાલિતાણા નવટુંકમાં ફુલ, ધૂપ પહોંચાડવાની વ્યવસ્થા તથા પાલિતાણામાં બિરાજમાન પૂ. સાધુભગવંતો તથા પૂ. સાધ્વીજી મ.સાહેબોના આરોગ્ય સંબંધમાં વૈદરાજની વ્યવસ્થા રાખવામાં આવેલી તે ઉપર સંપૂર્ણ દેખરેખ શ્રી કપૂરચંદભાઈની રહેતી.
શ્રી શત્રુંજયમહાતીર્થ-પાલિતાણાની પાવનભૂમિ પર પધારતા પૂ. ગુરુભગવંતો પૂ. સાધ્વીજી મ.સાહેબો તથા મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓના સંપર્કમાં પંડિતજીને આવવાનું થયું. જેથી તેઓશ્રીને ઓળખનાર વર્ગ મોટો હતો. નિઃસ્વાર્થભાવે સંસ્થામાં રહી સેવા કરવા સાથે પ્રમાણિકતા, મિલનસાર સ્વભાવ, બીજા પાસેથી મીઠાશપૂર્વક કામ કરાવવાની આવડત, દીર્ઘદૃષ્ટિ, સહનશીલતા આવા ગુણો શ્રી કપૂરચંદભાઈમાં હતા.
પંડિતજી ઉત્તરોત્તર જ્ઞાનયોગ અને ક્રિયાયોગની સાધનામાં આગળ વધે અને અંતે પરમપદના ભોક્તા બને એ જ પરિષદ્ પરિવારની શુભકામના.
શ્રી જૈનધર્મતત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ ખુમચંદ શાહ