________________
૪૨
કપૂર મહેંક-૭ કલ્પવૃક્ષ સંજમ સુખકાર, "અનુભવ ચિંતામણિ વિચાર; કામગવી વર વિદ્યા જાણ, ચિત્રાવેલી ભક્તિ ચિત્ત આણ. ૨૯ ૯૪સંજમ સાધ્યા સવિ દુઃખ જાવે, દુઃખ સહુ ગયા મોક્ષપદ પાવે; શ્રવણ શોભા સુણીયે “જિનવાણી, નિર્મળ જિમ ગંગાજળ પાણી. ૩૦ નયનશોભાજિનબિંબ નિહારો, જિનપડિમાજિનસમ કરી ધારો;
સત્ય વચન મુખ શોભા સારી, તજ તંબોલ સંત તવારી. ૩૧ કરકી શોભા ૯૯દાન વખાણો, ઉત્તમ ભેદ પંચ તસ જાણો; ભુજાબળ તરીએ સંસાર, ઇણવિધ ભુજ શોભા ચિત્ત ધાર૩૨
૯૦ સંયમ, તે સુખને કરનાર કલ્પવૃક્ષ છે. ૯૧ “અનુભવ એ ચિંતામણિ રત્ન છે' એમ વિચારો. ૯૨ શ્રેષ્ઠ વિદ્યા, એ કામધેનુ ગાય છે. ૯૩ “પરમાત્માની ભક્તિ, એ ચિત્રાવેલી છે? એમ જાણો. ૨૯
૯૪ સંયમની સાધના કરવાથી સર્વ દુઃખો જાય અને સર્વ દુ:ખો જવાથી આત્મા મોક્ષપદને પામે છે. ૯૫ શ્રવણની શોભા તે જિનેશ્વર ભગવંતની વાણી છે, તે ગંગાનદીના પાણીની જેવી નિર્મળ છે. ૩૦
૯૬ નેત્રની શોભા, તે જિનેશ્વરના બિંબનાં દર્શન કરવાં તે છે, જિનેશ્વરની પ્રતિમાને જિનેશ્વરની સમાન કરીને ધારો. ૯૭ સત્ય વચન બોલવું, તે મુખની શોભા સારી છે. તે સપુરુષ ! તંબોલનો ત્યાગ કરો. ૩૧
૯૮ “હાથની શોભા દાન છે' એમ વખાણો, તે દાનના પાંચ ઉત્તમ ભેદ છે. ૯૯ ભુજાના બળથી સંસારને તરીએ, આ રીતે ભુજાની શોભા હૃદયમાં ધારણ કરો. ૩૨