SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ પરપરિણતિ મમતાદિક હય, સ્વસ્વભાવ જ્ઞાન કર જોય; ઉપાદેય આતમગુણવંદ, જાણો ભવિક મહાસુખકંદ. ૭ ૨૫પરમબોધ મિથ્યાદગુરોધ, મિથ્યાદગુ દુઃખહેત અબોધ; આતમહિતચિંતા સુવિવેક, તાસ વિમુખ જડતા અવિવેક. ૮ પરભવ સાધક ચતુર કહાવે, મૂરખ તે જે બંધ બઢાવે; "ત્યાગી અચળ રાજપદ પાવે, જે લોભી તે રંક કહાવે. ૯ ઉત્તમ ગુણરાગી ગુણવંત, જે નર લહત ભવોદધિ અંત, જોગી જસ ૩૪મમતા નહીં રતિ, મન ઇંદ્રી જીતે તે જતિ. ૧૦ ૨૨ મમતા વગેરે કે જે પરપરિણતિરૂપ છે, તે હેયછાંડવા લાયક છે. ૨૩ જે પોતાના આત્માના સ્વભાવને જાણવો, તે જ્ઞેય છે. ૨૪ આત્માના ગુણોનો સમૂહ, તે ઉપાદેય-આદરવા યોગ્ય છે, હે ભવ્યજીવો ! મહાસુખના મૂળ તેને જાણો. ૭ ૨૫ જે મિથ્યા-ખોટી દષ્ટિને રોધ-દૂર કરે, તે પરમબોધ છે. ૨૬ મિથ્યાદૃષ્ટિરૂપ અજ્ઞાન, તે દુઃખનો હેતુ છે. ૨૭ આત્મહિતની વિચારણા કરવી, તે સુવિવેક છે. ૨૮ જે આત્મહિતથી વિમુખ કરે, તે જડતા અવિવેક છે. ૮ ૨૯ જે પોતાના પરભવને સાધે, તે ચતુર કહેવાય છે. ૩૦ જે આત્મામાં કર્મનો બંધ વધારે, તે મૂર્ખ છે. ૩૧ જે ત્યાગી છે, તે ચલાયમાન ન થાય તેવા રાજપદને પામે છે. ૩૨ જે લોભી છે, તે રંક કહેવાય છે. ૯ ૩૩ જે ઉત્તમ ગુણોનો અનુરાગી હોય, તે ગુણવંત પુરુષ સંસારસમુદ્રના અંતને પામે છે. ૩૪ જેને રતિમાત્ર પણ મમતા ન હોય, તે યોગી કહેવાય. ૩૫ જેણે મન અને ઇંદ્રિયોને જીતી છે, તે જતિ કહેવાય. ૧૦
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy