SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સવૈયા-સાર્થ જોગકી જુગતિ વિના જાને જો કહાવે જોગી, ગલામાંહે સેલી અરુ કાલી કંથા ડાર કે; વિના ગુરુગમ મિથ્યાજ્ઞાન ભમે ઈણવિધ, ફોગટ જયું જાવે એ મનુષ્યભવ હારકે. ૩ શિર પર શ્વેત કેશ ભયા તોહુ નાંહિ ચેત, ફિરત અચેત ધન હેત પરદેશમેં; મેરોમેરો કરત ધરત ન વિવેક હિયે, મોહ અતિરેક ધર પરત કિલેશમેંઃ પડ્યો નાનાવિધ ભવકૂપ મેં સહત દુઃખ, મગન ભયો હે મધુબિંદુ લવલેશમેં; આતપત્ર છાયો સોઉ મન હુંત ભયો અબ, ચિદાનંદ સુખ પાયો સાધુ કે સુવેશમેં. ૪ ૩ જાણ્યા વિના, ગળામાં રાખ લગાડી કાળી કંથા પહેરીને જે પોતાને યોગી કહેવરાવે છે, પણ તેઓ ગુરુગમ વિના મિથ્યાજ્ઞાનથી સંસારમાં ભમે છે, અને આ રીતે મળેલા મનુષ્યભવને હારી જઈને ફોગટ ગુમાવે છે. ૩ માથા ઉપર સફેદ વાળ થયા, તો પણ આ જીવ ચેતતો નથી, અને અચેતન એવા ધન માટે પરદેશમાં ફરે છે ‘આ મારું, આ મારું' એમ કર્યા કરે છે, પણ હૃદયમાં વિવેકને ધારણ કરતો નથી. મોહના ઉત્કર્ષને ધારણ કરીને કલેશમાં પડે છે. સંસારરૂપી કૂવામાં પડી જુદા જુદા પ્રકારનાં દુઃખોને સહન કરે છે. સુખની તૃષ્ણાને લીધે વિષયરૂપ મધુબિંદુના અંશમાત્રટીપામાં મગ્ન થાય છે. જ્યારે મન સાવધાન થયું ત્યારે છત્રની છાયા સારખા સાધુના ઉત્તમ વેશમાં ચિદાનંદસ્વરૂપ આત્મા સુખને પામ્યો. ૪
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy