________________
॥ શત્રુંજયતીર્થાધિપતિ શ્રી આદિનાથાય નમઃ ॥ ॥ શાસનસમ્રાટ્ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદયઅશોકચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ ।
શ્રી ચિદાનંદજી કૃત સાર્થ (સવૈયા એકત્રીસા-સાર્થ)
ઓંકાર અગમ અપાર પ્રવચનસાર, મહાબીજ પંચ પદ ગરભિત જાણીએ; જ્ઞાન ધ્યાન પરમ નિધાન સુખથાનરૂપ, સિદ્ધિબુદ્ધિદાયક અનુપ એ વખાણીયે. ગુણ દરિયાવ ભવજળનિધિમાંહે નાવ, તત્ત્વકો લિખાવ હિયે જોતિરૂપ ઠાણીયે; કીનો હે ઉચ્ચાર આદ આદિનાથ તાત યાકો, ચિદાનંદ પ્યારે ચિત્ત અનુભવ આણીએ. ૧
સવૈયા એકત્રીસા-અર્થ
‘અરિહંતનો ‘', અશરીરી(સિદ્ધ)નો ‘ત્ર', આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયનો ‘૩’, અને મુનિનો મ્ (અ-ગ-મ-૩-=ોમ્). એ પંચ પરમેષ્ઠિના મહાબીજથી ગર્ભિત ૐકાર થયેલ છે. તે અગમ્ય-ન જાણી શકાય તેવો, અપાર-જેના મહિમાનો પાર નથી એવો, જૈન પ્રવચનના સારભૂત, જ્ઞાન અને ધ્યાનના પરમ નિધાનરૂપ, સુખના સ્થાનરૂપ, અષ્ટ મહાસિદ્ધિ અને બુદ્ધિને આપનાર એવો અનુપમ છે' એમ વખાણીએ. કાર ગુણોનો સમુદ્ર છે, સંસારસમુદ્રમાં વહાણ તુલ્ય, સર્વ તત્ત્વોના સમાવેશરૂપ અને જ્યોતિરૂપ છે, તેને હૃદયમાં સ્થાપન કરીએ. જેનો પ્રથમ ઉચ્ચાર જગતના પિતા શ્રી આદિનાથ પ્રભુએ કરેલ છે. હે પ્યારા ચિદાનંદ ! તે પ્રણવમંત્રનો અનુભવ ચિત્તમાં લાવીએ. ૧