________________
[ ૬૫]
એવા સમુદ્ર જઈ ચઢેલા, માનવી સંકટ સામે, શ્રી પાર્શ્વ જિનવર સમરતા, શિર ચરણમાં જેનું નામે; ભાંગ્યું નથી તસ જહાજ, એવી સરલતા સંગી થતાં, ઈચ્છિત કાંઠાને વિષે, ક્ષણવારમાં પહોંચી જતા પ
વન અગ્નિ વાળા શ્રેણિઓ, વાધેલ પવન પ્રચંડથી,
જ્યાં વૃક્ષના ગહને જણાએ, એ વડે એકત્રથી; જવાળાવડે દાઝેલ એવા, મુગ્ધ મૃગલાઓ દિસે, - આજંદ અતિ તેને થતો, એવા ભયંકર વન વિષે. ૬
ઉપશાંતિ કરી જેણે બચાવ્યા, આપત્તિના તાપથી, ત્રણે ભુવન પરિતાપ ટળતા, મહદ નરના જાપથી; એવા જગદગુરુ ચરણ સેવા, સમરતા સમભાવથી, કરતા મનુષ્યો જેહ તસ, ભય અગ્નિ કંઈ કરતો નથી. ૭
દિસે સુશોભિત શરીર સુંદર, ફણ પ્રદેશ વિકાળ છે, જિહુવા ચપળ લપલપ થતી ને નેત્ર ચંચળ લાલ છે; જે નવીન મેઘ સમાન વાને શ્યામ ધરતો રંગ છે; એવી ભયંકર આકૃતિમાં, હાય ઉગ્ર ભુજંગ છે. ૮
હે જિન! તમારા નામ અક્ષર, રૂપ પ્રકટ પ્રભાવથી, થયો સિદ્ધ જેને મંત્ર એહ, ગરિષ્ટ જગ સદભાવથી; ટાળે સમસ્ત પ્રકાર અતિશય, તીવ્ર વિષના વેગને, કડા સમાન જણાય વિષધર, સાધતા નર જે તને. ૯